Monday, October 21, 2013

ભગવાનનો પત્ર.....

તારીખ : આજની જ.
પ્રતિ, તમોને જ
વિષય : જિંદગી અને તમે
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદની કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, હા ! મારા સમયે, તમારા સમયે નહીં !
[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય
.
અને છેલ્લે…. હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
એ જ લિ,
ભગવાન

Tuesday, September 10, 2013

સમય...

સમયની વ્યાખ્યા કોઈકે બહુ સુંદર રીતે કરી છે...
તમે રાહ જુઓ ત્યારે તે ધીમો હોય છે..!
તમે જ્યારે મોડા હોવ ત્યારે તે ઝડપી હોય છે..!
તમે જ્યારે દુ:ખી હોવ ત્યારે તે મારકણો કે પીડાદાયી હોય છે..!
તમે જ્યારે સુખી કે આનંદમાં હોવ ત્યારે તે ટૂંકો હોય છે..!
તમે જ્યારે પીડા કે વેદનામાં હોવ ત્યારે તે અનંત હોય છે,અખૂટ હોય છે..!
તમને કંટાળો આવતો હોય ત્યારે તે લાંબો હોય છે..!

આમ જીવનમાં ઘણી વાર સમય તમારી લાગણીઓ અને તમારી મનોસ્થિતી દ્વારા નક્કી થતો હોય છે, ઘડીયાળના કાંટા દ્વારા નહિ...

આથી જ હંમેશા ખુશ રહો, તમારો સમય સારો છે એવું સતત માનતા રહો, અનુભવતા રહો..!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

યાદ રાખો... : સમય દરેકને એક સરખી તક આપે છે.

દરેક મનુષ્ય પાસે દરરોજ એક સરખો જ સમય,એક સરખાં કલાક,એક સરખી ક્ષણો હોય છે.ધનવાન પૈસા ખર્ચી વધુ ક્ષણો ખરીદી શકતા નથી.વૈજ્ઞાનિકો નવી ક્ષણો શોધી શકતા નથી.તમે આવતી કાલે ખર્ચવા માટે આજે ક્ષણો બચાવી શકતા નથી.

આમ છતાં,સમય દરેક માટે સરખો ન્યાયી અને ઉદાર છે.ભલે તમે ભૂતકાળમાં,અત્યાર સુધીમાં ગમે એટલો સમય વેડફી નાખ્યો હોય,આખી આવતી કાલની ભેટ સમય તમને આપશે જ.

તમે એનો શાણપણપૂર્વક અને કુનેહથી ઉપયગ કરશો તો સફળતાને વરશો.આ માટે તમારે આયોજન કરવું પડશે,કઈ બાબતને કે કયા કામને અગ્રતા ક્રમ આપવો એ નક્કી કરવું પડશે જેને 'પ્રાયોરીટી સેટીંગ' કહે છે.

સમય પૈસા કરતાં અનેક ગણો વધુ શક્તિશાળી છે અને તેને વેડફી તમે પોતે જ તમારી સફળતાના દ્વાર બંધ કરી દેતા હોવ છો...

Monday, August 5, 2013

સુવિચાર સંચય – સંકલિત

[‘બૃહદ સુવાક્ય સંચય’ પુસ્તકમાંથી સાભાર.]
[1] અંગ્રેજીમાં કહેવત છે તેમ બીજા કોઈ સામે આંગળી ચીંધીએ ત્યારે બાકીની ત્રણ આંગળી આપણી પોતાની સામે આપોઆપ વળી જાય છે. સામાન્ય અનુભવ એવો છે કે બેફામ ગાળાગાળી કરનાર લોકો જાતે જ ઘણા અસ્વચ્છ હોય છે, અને ઘણા ખુશામતખોર પણ હોય છે. તેમની ગાળાગાળી મોટે ભાગે તેમની હતાશા અને નિષ્ફળતાના પરિણામરૂપે આવી પડે છે. – નગીનદાસ સંઘવી
[2] શિક્ષકો જો શાંત ચિત્તે વિચારશે, સૂક્ષ્મ વિવેક કરશે તો જણાશે કે દસમાંથી નવ બાબતો એવી છે, જેમાં કાં બાળકને સમજવામાં નથી આવ્યું, કાં તેને પૂરતી સહાનુભૂતિ નથી મળી, કાં તેને વ્યક્ત થવાની તક નથી મળી, કાં તેને યોગ્ય માર્ગદર્શન નથી મળ્યું, કાં તેની સર્જનાત્મકતાને અવકાશ નથી મળ્યો, તેથી તેનું વર્તન ન સમજાય તેવું, અશિસ્તવાળું દેખાય છે. કદાચ તે ભૂલ કરીને પોતાના તરફ ધ્યાન ખેંચવા પણ માંગતું હોય – મનસુખ સલ્લા
[3] આકાશ, અગ્નિ, પૃથ્વી, જળ અને વાયુરૂપે માતા જગતજનની આપણું સતત પોષણ કરી રહી છે, છતાં તેનાં રૂપનાં દર્શન કરવાને બદલે તેના તરફ આપણું દુર્લક્ષ છે. જરૂર છે આપણા ‘મન આડેનો પડદો’ હટાવવાની ! – હરીન્દ્ર દવે
[4] શંકા એ તો મોટામાં મોટો શત્રુ છે. શંકા આપણા હૃદયમાં ડર પેદા કરે છે. આ ડરને કારણે આપણને જે વસ્તુ પર આપણા વિજયની પૂરેપૂરી ખાત્રી હતી તે જ ચીજ સમક્ષ આપણે મસ્તક નમાવી દેવું પડે છે. – શેક્સપિયર

[5] હું ભારતના લોકોને કહું છું કે તમારી પાસે ઘણી, એકદમ સુંદર અને મહાન પરંપરાઓ છે. એને કદી ભૂલશો નહિ. જેનાથી ભારત વિખ્યાત છે, એ આ પરંપરાઓ તમે ભૂલી જશો તો એ વિશ્વ માટે એક ટ્રેજેડી હશે. આજના ખતરનાક સમયમાંથી પસાર થઈ દુનિયા જીવી જશે તો લોકસંસ્કૃતિની પ્રક્રિયા જીવંત રહી આગળ ધપતી રહેશે. – પીટ સીંગર (અમેરિકન લોકસંગીતકાર)
[6] ખૂબસૂરતી હંમેશા જોનારના મનમાં અને એની નજરમાં હોય છે. નહિતર ભૂલ કાઢનારને તો તાજમહાલમાં પણ ખામી દેખાય છે. – સી.બી. જોન્સન
[7] કેટલાક કહે છે કે ‘ગુરુ શા માટે જોઈએ ? તેના લીધે બંધન વધે છે. આપણે આપણા વિચારોથી ભગવાનની પ્રાપ્તિ કરી લેવી.’ પરંતુ આ કહેવાવાળા પણ બીજાઓના ગુરુ જ થાય છે ને ! – શ્રીમાતાજી
[8] સંપૂર્ણ વિશ્વમાં ઉપનિષદ સમાન જીવનને ઊંચે ચઢાવનાર કોઈ બીજો શીખવા જેવો વિષય જ નથી. એનાથી જ મારા જીવનને શાંતિ વળી છે. એનાથી તો મને મૃત્યુ વખતે પણ શાંતિ મળશે. – શૉપનહૉવર
[9] પરમાત્મા પરિગ્રહ નથી કરતા. તે પોતાને જોઈતી વસ્તુ રોજરોજ બનાવી લે છે. – ગાંધીજી
[10] ટ્રેન ચાલે છે, બહારનાં વૃક્ષો સ્થિર છે, પણ આભાસ એ થાય છે કે ટ્રેન સ્થિર છે અને વૃક્ષો ચાલી રહ્યાં છે. કર્મ (ટ્રેન) અકર્મ લાગે છે, અને અકર્મ (વૃક્ષો) કર્મ લાગે છે ! શ્રીકૃષ્ણ કહે છે કે કર્મમાં જે અકર્મને જોઈ શકે છે, અને અકર્મમાં જે કર્મને જોઈ શકે છે એ યોગી છે. સ્થિતિ અને ગતિ બંનેને સમજવું જ્ઞાનીનું કામ છે. – ચંદ્રકાન્ત બક્ષી.
[11] હોશિયાર પુરુષને નિયંત્રણમાં રાખવા માટે મૂરખ સ્ત્રી પણ ચાલે છે, પરંતુ મૂરખ પુરુષને નિયંત્રણમાં રાખવા હોશિયાર સ્ત્રી જ જોઈએ. – બર્નાર્ડ શૉ
[12] માણસના ખરાબ સ્વભાવના સૌથી વધુ કાંટા કુટુંબીજનોને અને મિત્રવર્તુળને વાગતા હોય છે. – ભૂપત વડોદરિયા.
[13] સારા માતાપિતા બનવું એ તો ભગીરથ કાર્ય છે. ઊંડી સમજણ, પ્રેમનિષ્ઠા અને સમર્પણ એ માટે જોઈએ. માબાપ તરીકે આપણે સંતાનો માટે એટલું કરીશું તો પછી આપણે કાઉન્સેલર્સની અને કાયદાઓની જરૂર ઓછી પડશે. – જયવતી કાજી
[14] એક વિદેશીએ પૂછેલા સંસ્કૃતિ વિશેના પ્રશ્નનો ઉત્તર : તમારે ત્યાં જ્યારે સાંજ પડે છે, ત્યારે હોટલોમાં દીવા થાય છે. અને અમારે ત્યાં સાંજ પડે છે ત્યારે મંદિરોમાં દીવા થાય છે. તમારે ત્યાં સાંજ પડે છે ત્યારે પતિ-પત્ની બધાં કુટુંબનાં માણસો તૈયાર થઈને હોટલોમાં જાય છે. અમારે ત્યાં સાંજ પડે છે ત્યારે કુટુંબનાં માણસો સાથે બેસીને પ્રભુપ્રાર્થના કરે છે, રામનામ જપે છે. – રવીન્દ્રનાથ ટાગોર
[15] કોઈ માણસમાં એકાદ વાર કોઈ દોષ દેખાય તો એવો કાયમી નિર્ણય ન કરી દેવો કે, ‘આ માણસ તો ખરાબ છે.’ સંભવ છે કે, દોષ જોવામાં તમારો જ દોષ હોય અથવા કોઈ વિશિષ્ટ સંજોગોનો ભોગ બનીને અનિચ્છા હોવા છતાં પણ તેને દોષના ભાગીદાર બનવાની ફરજ પડી હોય. – સંકલિત
[16] જે મનને કે શરીરને દુઃખદાયક છે કે અહિત કરે છે તે વસ્તુ ગમે તેટલી સુંદર હોવા છતાંય અસુંદર છે કારણ કે તે અકલ્યાણકારી છે. જે કલ્યાણકારી છે તે જ સુંદર થઈ શકે છે. – ભગવતીચરણ વર્મા
[17] સુજ્ઞ પુરુષે સ્વાદિષ્ટ ભોજન કદી એકલાં ન કરવું. કોઈ ગૂઢ વિષય પર એકલાં એકલાં વિચાર ન કરવો. માર્ગ પર એકલાં એકલાં ન ચાલવું અને ઘણા લોકો સૂતાં હોય ત્યારે એકલાં ન જાગવું. – મહાભારત
[18] ખોરાક, પાણી અને હવા શરીરને ટકાવી રાખનાર અને એનું આરોગ્ય જાળવી રાખનાર અમૂલ્ય વસ્તુઓ છે. પરંતુ શરીરરૂપી કિલ્લાનો રાજા તો માણસનું મન છે. મન પ્રસન્ન તો શરીર ચપળ, મન સોગિયું તો શરીર ઢીલું. મન ઉદ્વેગમાં તો શરીર રોગી. મન નિરાશ તો શરીર શક્તિહીન. – મોહમ્મદ માંકડ
[19] મનુષ્યદેહધારી જીવે જગતની પંચાતમાં પડ્યા વિના પોતાના સ્વધર્મ પ્રમાણે વર્તવું જોઈએ. તેણે કોઈને શિખામણ કે ઉપદેશ આપવાની જરૂર નથી. તેણે પોતાની જાતને સતત તપાસ્યા કરવી જોઈએ. તો જ તે પોતાને ઓળખી શકશે અને પરમાત્માની શક્તિ તરીકે કેમ જીવવું તેની ચાવી તેના હાથમાં આવી જશે – કાંતિલાલ કાલાણી
[20] સૂર્યાસ્ત વખતે સૂર્યના કિરણો મધ્યાહ્નકાળ જેટલાં આકરાં નથી હોતાં તો પછી વૃદ્ધાવસ્થા વખતે માણસનો સ્વભાવ યુવાવસ્થા જેવો આકરો હોય એ શી રીતે ચાલે ? – રત્નસુંદરવિજયજી

Saturday, August 3, 2013

સાચો મિત્ર...

 

હું તારો સાચો મિત્ર નથી જો...

તારે મારી સમક્ષ કં પણ બોલતા પહેલા વિચાર કરવો પડતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

મારી હાજરીમાં તું જરા જેટલો પણ સંકોચ અનુભવતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

હું તારા માટે કંઈ પણ કરું તેનો તારે આભાર માનવો પડતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તારે મને વિનંતી કરવી પડતી હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું વિચારતો હોય કે હું તારા જીવનની નવી ફિલોસોફી જાણવા ઉત્સુક નથી!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું હું જે કહું તે જ સમજે પણ હું જે ન કહું તે ન સમજતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે તારા સ્વપ્નો વિષે સાંભળતા મને ઉંઘ આવી જશે!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે તને દુ:ખમાં જોઈને મારી આંખમાં આંસુ નહિં આવે!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને લાગતું હોય કે આપણી પ્રથમ મુલાકાત ક્યારે થઈ હતી એ મને યાદ નહિં હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને એ ન દેખાતું હોય કે કઈ રીતે હું તને ખુશ કરવાના હજારો પ્રયત્ન કરતો રહું છું!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને ખ્યાલ ન આવતો હોય કે કઈ રીતે ફક્ત તારું એક સ્મિત મારો દિવસ સાર્થક કરી નાંખે છે!

હું તારો સાચો મિત્ર નથી જો...

જ્યારે તને ખરેખર ખૂબ વાત કરવાની ઇચ્છા હોય પણ તું મારી સામે ચૂપ રહેતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તને જ્યારે એવી ઇચ્છા થતી હોય કે આપણે સાથે રહેવું જોઇએ પણ છતાં તું મને એમ કહેતા ખચકાતો હોય!

હું તારો સાચો મિત્ર નથી જો...

તું મને હું તારા માટે શું છું એ કહેવામાં ખૂબ વધારે સમય લેતો હોય! શું હું ખરેખર તારો મિત્ર છું?

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *



તમારું હ્રદય તમારો પ્રેમ છે...

તમારો પ્રેમ તમારું કુટુંબ છે...

તમારું કુટુંબ તમારું ભવિષ્ય છે...

તમારું ભવિષ્ય તમારું નસીબ છે...

તમારું નસીબ તમારી મહત્વકાંક્ષા છે...

તમારી મહત્વકાંક્ષા તમારી આશા છે...

તમારી આશા તમારો પ્રેરણાસ્ત્રોત છે...

તમારો પ્રેરણાસ્ત્રોત તમારી શ્રદ્ધા છે

તમારી શ્રદ્ધા તમારી શાંતિ છે...

તમારી શાંતિ તમારું લક્ષ્ય છે...

તમારું લક્ષ્ય તમારા મિત્રો છે..

જીવન મિત્રો વગર રસહીન છે...

હેપ્પી ફ્રેન્ડશીપ ડે!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

મિત્રતાની ભાષા શબ્દોની નહિં,અર્થની છે.

જીવન અડધું આપણે તેને જે બનાવીએ તે છે અને બાકીનું અડધું આપણે જે મિત્રો પસંદ કરીએ છીએ તેના દ્વારા બને છે.

દરેક મનુષ્ય જીવનમાં સાચા મિત્ર શોધતો હોય છે.

મિત્ર બનવું એ ખૂબ ઝડપથી થઈ શકે છે,પણ મિત્રતા એ ધીરે ધીરે પાકતું ફળ છે.

મિત્ર એ છે જે તમને સંપૂર્ણપણે જાણે છે અને છતાં તમને પસંદ કરે છે.

જેનો એકાદ મિત્ર હોય એવો કોઈ જ માણસ નકામો હોતો નથી.

પ્રેમ કોઈક મહાન માણસ કરતાં પણ મહાન હોય છે,મિત્રતા પ્રેમ કરતાં પણ મહાન હોય છે.
ભગવાન કરે તમને ખૂબ બધાં મિત્રો મળે અને એ પણ સાચા મિત્રો!

('ઈન્ટરનેટ પરથી')

Wednesday, July 3, 2013

આ રહી સદાય યુવાન અને સુખી રહેવાની આ ચમત્કારી નીતિઓ !

Ever Young And Happy To Have These Policies Miracle

આ રહી સદાય યુવાન અને સુખી રહેવાની આ ચમત્કારી નીતિઓ  !

એક બ્રહ્મચારીએ બતાવ્યું હતું કે ક્યારે કેટલું પાણી પીશો તો રહેશો જવાન

આપણા જીવન માટે પાણી અનમોલ છે અને તેના વગર જીવવાની કલ્પના પણ નથી કરી શકાતી. પાણીથી શરીરને ઊર્જા મળે છે અને ભોજન પચાવવામાં સહાયતા મળે છે.

આ વાતનું મહત્વ સમજતા સેકંડો વર્ષ પહેલા એક બ્રહ્મચારીએ બતાવ્યું હતું કે ક્યારે કેટલું પાણી પીવું જોઈએ. સેકંડો વર્ષ પહેલા ભારતમાં એક વિદ્વાન થયા હતા જે કુશળ રાજનીતિજ્ઞ, કુટનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી હતા અને તે હતા આચાર્ય ચાણક્ય. એવું માનવામાં આવે છે કે આચાર્ય ચાણક્યનો રંગ કાળો હતો. તેઓ આજીવન કુંવારા રહ્યા હતા. તેઓ દેખાવે સુંદર ન હતા પરંતુ બુદ્ધિના મામલામાં તેમનો કોઈ જ મુકાબલો ન કરી શકતો હતો.

આગળ વાંચો આચાર્ય ચાણક્ય અનુસાર પાણી સાથે જોડાયેલી ખાસ વાત જે તમને હંમેશા સ્વસ્થ રાખશે....

આચાર્ય ચાણક્યે બતાવ્યું છે કે ખોટા સમયે પાણી પીવાથી તે ઝેર સમાન કામ કરે છે. આથી આ બાબતે અહીં એક નીતી તેમને બતાવી છે.

આચર્ય ચાણક્ય કહે છે કે...

अजीर्णे भेषजं वारि जीर्णे वारि बलप्रदम्।

भोजने चाऽमृतं वारि भोजनान्ते विषप्रदम्।।

આ શ્લોકમાં આચાર્ય કહે છે કે ભોજન કરતી વખતે પાણી પીવા બાબતે ખાસ સાવધાની રાખવી જોઈએ. ભોજન આપણા શરીરને કામ કરવા માટે ઊર્જા પ્રદાન કરે છે. ભોજન જો યોગ્ય રીતે પચે નહીં તો પેટ સંબંધી રોગ થવાની શક્યતા રહે છે.

આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે ભોજન પછી પાણી ત્યાં સુધી ન પીવું જોઈએ જ્યાં સુધી તે પચી ન જાય. જો કોઈ વ્યક્તિ ભોજન પછી તરત જ પાણી પી લે તો તેના પાચનતંત્રને પચાવવામાં પરેશાની આવે છે. જો ભોજન સારી રીતે પચે નહીં તો શરીર યોગ્ય રીતે ઊર્જા પ્રાપ્ત નહીં કરી શકે.

ભોજન પછી તરત જ પાણી પીવાથી તે વિષ(ઝેર)ની સમાન કામ કરે છે, ભોજન પચવામાં અડચણ પેદા કરે છે. જો તમે ઈચ્છો તો ભોજનની વચ્ચે થોડું-થોડું પાણી પી શકો છો પરંતુ વધુ પાણી પીવું નુકસાનદાયી હોઈ શકે છે.

જ્યારે ભોજન પૂરી રીતે પચી જાય અને ત્યારબાદ ભોજન પીવામાં આવે તો તે અમૃતની સમાન કામ કરે છે. શરીરમાં ભરપૂર ઊર્જા પ્રાપ્ત થાય છે અને પેટ અને પાચનતંત્ર પણ સ્વચ્છ રહે છે. કબજિયાત, એસીડીટી, અપચો વગેરે પેટને લગતી સમસ્યાઓથી છુટકારો મળી જાય છે. જો આપણું પેટ યોગ્ય રીતે કામ કરશે તો તમને વિશ્વાસ નહીં બેસે કે તમે ક્યાં સુધી યુવાન બની રહી શકશો.

આગળ વાંચો નાની-નાની નીતિઓ જે શાસ્ત્રો અને વિદ્વાનો દ્વારા બતાવવામાં આવી છે....

 આ સંસારમાં પ્રેમ કરવા લાયક બે વસ્તુઓ છે- એક દુઃખ અને બીજુ છે શ્રમ. દુખ વગર હૃદય નિર્મળ નથી થતું અને શ્રમ વગર મનુષ્ય તત્વનો વિકાસ નથી થતો.- આચાર્ય શ્રીરામ શર્મા.

‘શિ’નો અર્થ છે પાપોનો નાશ કરનાર અને ‘વ’નો અર્થ હોય છે મુક્તિ આપનારો. ભોલેનાથમાં આ બંને ગુણ છે એટલે તેઓ શિવ કહેવાયા છે- બ્રહ્મવૈવર્ત પુરાણ.

ચંદ્ર, હિમાલય પર્વત કેળાનું ઝાડ અને ચંદન શીતળ માનવામાં આવે છે, અને આમાંથી એટલુ શીતલ કંઈ જ નથી જેટલુ મનુષ્યનું તૃષ્ણા રહિત ચિત.-વિશિષ્ઠ.

ચાપલૂસીનો ઝેરીલો પ્યાલો ત્યાંથી કંઈ જ નુકસાન નથી પહોંચાડી નથી શકતો જ્યાં સુધી તમારા કામ તેને અમૃત સમજીને પીવામાં ન આવે- પ્રેમચંદ



દુનિયાનું અસ્તિત્વ શસ્ત્રબળ ઉપર નહીં, સત્ય, દયા અને આત્મબળ ઉપર છે- મહાત્મા ગાંધી.

સંપદાને જોડી-તોડીને રાખનારાઓ શું જાણે કે દાનમાં કેટલી મીઠાશ છે- આચાર્ય શ્રીરામ શર્મા.

માનવીનું માનવી હોવું જ તેની સૌથી મોટી જીત છે, દાનવ હોવું હાર છે અને મહામાનવ હોવું ચમત્કાર છે- ડો. રાધાકૃષ્ણન.

વૃક્ષ પોતાની ઉપર ગરમી સહન કરે છે અને પોતાની છાયમાં બીજાનો તાપ દૂર કરે છે- તુલસીદાસ.

મહાન વ્યક્તિ મહત્વાકાંક્ષાના પ્રેમથી ખૂબ વધુ આકર્ષિત થાય છે- પ્રેમચંદ.

પ્રલય થાય ત્યારે સમુદ્ર પણ પોતાની મર્યાદાને છોડી દે છે પરંતુ સજ્જન લોકો મહાવિપત્તિમાં પણ મર્યાદાઓ નથી છોડતા- ચાણક્ય.
આ રહી સદાય યુવાન અને સુખી રહેવાની આ ચમત્કારી નીતિઓ !

એક બ્રહ્મચારીએ બતાવ્યું હતું કે ક્યારે કેટલું પાણી પીશો તો રહેશો જવાન

આપણા જીવન માટે પાણી અનમોલ છે અને તેના વગર જીવવાની કલ્પના પણ નથી કરી શકાતી. પાણીથી શરીરને ઊર્જા મળે છે અને ભોજન પચાવવામાં સહાયતા મળે છે.

આ વાતનું મહત્વ સમજતા સેકંડો વર્ષ પહેલા એક બ્રહ્મચારીએ બતાવ્યું હતું કે ક્યારે કેટલું પાણી પીવું જોઈએ. સેકંડો વર્ષ પહેલા ભારતમાં એક વિદ્વાન થયા હતા જે કુશળ રાજનીતિજ્ઞ, કુટનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી હતા અને તે હતા આચાર્ય ચાણક્ય. એવું માનવામાં આવે છે કે આચાર્ય ચાણક્યનો રંગ કાળો હતો. તેઓ આજીવન કુંવારા રહ્યા હતા. તેઓ દેખાવે સુંદર ન હતા પરંતુ બુદ્ધિના મામલામાં તેમનો કોઈ જ મુકાબલો ન કરી શકતો હતો.

આગળ વાંચો આચાર્ય ચાણક્ય અનુસાર પાણી સાથે જોડાયેલી ખાસ વાત જે તમને હંમેશા સ્વસ્થ રાખશે....

આચાર્ય ચાણક્યે બતાવ્યું છે કે ખોટા સમયે પાણી પીવાથી તે ઝેર સમાન કામ કરે છે. આથી આ બાબતે અહીં એક નીતી તેમને બતાવી છે.

આચર્ય ચાણક્ય કહે છે કે...

अजीर्णे भेषजं वारि जीर्णे वारि बलप्रदम्।

भोजने चाऽमृतं वारि भोजनान्ते विषप्रदम्।।

આ શ્લોકમાં આચાર્ય કહે છે કે ભોજન કરતી વખતે પાણી પીવા બાબતે ખાસ સાવધાની રાખવી જોઈએ. ભોજન આપણા શરીરને કામ કરવા માટે ઊર્જા પ્રદાન કરે છે. ભોજન જો યોગ્ય રીતે પચે નહીં તો પેટ સંબંધી રોગ થવાની શક્યતા રહે છે.

આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે ભોજન પછી પાણી ત્યાં સુધી ન પીવું જોઈએ જ્યાં સુધી તે પચી ન જાય. જો કોઈ વ્યક્તિ ભોજન પછી તરત જ પાણી પી લે તો તેના પાચનતંત્રને પચાવવામાં પરેશાની આવે છે. જો ભોજન સારી રીતે પચે નહીં તો શરીર યોગ્ય રીતે ઊર્જા પ્રાપ્ત નહીં કરી શકે.

ભોજન પછી તરત જ પાણી પીવાથી તે વિષ(ઝેર)ની સમાન કામ કરે છે, ભોજન પચવામાં અડચણ પેદા કરે છે. જો તમે ઈચ્છો તો ભોજનની વચ્ચે થોડું-થોડું પાણી પી શકો છો પરંતુ વધુ પાણી પીવું નુકસાનદાયી હોઈ શકે છે.

જ્યારે ભોજન પૂરી રીતે પચી જાય અને ત્યારબાદ ભોજન પીવામાં આવે તો તે અમૃતની સમાન કામ કરે છે. શરીરમાં ભરપૂર ઊર્જા પ્રાપ્ત થાય છે અને પેટ અને પાચનતંત્ર પણ સ્વચ્છ રહે છે. કબજિયાત, એસીડીટી, અપચો વગેરે પેટને લગતી સમસ્યાઓથી છુટકારો મળી જાય છે. જો આપણું પેટ યોગ્ય રીતે કામ કરશે તો તમને વિશ્વાસ નહીં બેસે કે તમે ક્યાં સુધી યુવાન બની રહી શકશો.

આગળ વાંચો નાની-નાની નીતિઓ જે શાસ્ત્રો અને વિદ્વાનો દ્વારા બતાવવામાં આવી છે....

આ સંસારમાં પ્રેમ કરવા લાયક બે વસ્તુઓ છે- એક દુઃખ અને બીજુ છે શ્રમ. દુખ વગર હૃદય નિર્મળ નથી થતું અને શ્રમ વગર મનુષ્ય તત્વનો વિકાસ નથી થતો.- આચાર્ય શ્રીરામ શર્મા.

‘શિ’નો અર્થ છે પાપોનો નાશ કરનાર અને ‘વ’નો અર્થ હોય છે મુક્તિ આપનારો. ભોલેનાથમાં આ બંને ગુણ છે એટલે તેઓ શિવ કહેવાયા છે- બ્રહ્મવૈવર્ત પુરાણ.

ચંદ્ર, હિમાલય પર્વત કેળાનું ઝાડ અને ચંદન શીતળ માનવામાં આવે છે, અને આમાંથી એટલુ શીતલ કંઈ જ નથી જેટલુ મનુષ્યનું તૃષ્ણા રહિત ચિત.-વિશિષ્ઠ.

ચાપલૂસીનો ઝેરીલો પ્યાલો ત્યાંથી કંઈ જ નુકસાન નથી પહોંચાડી નથી શકતો જ્યાં સુધી તમારા કામ તેને અમૃત સમજીને પીવામાં ન આવે- પ્રેમચંદ

દુનિયાનું અસ્તિત્વ શસ્ત્રબળ ઉપર નહીં, સત્ય, દયા અને આત્મબળ ઉપર છે- મહાત્મા ગાંધી.

સંપદાને જોડી-તોડીને રાખનારાઓ શું જાણે કે દાનમાં કેટલી મીઠાશ છે- આચાર્ય શ્રીરામ શર્મા.

માનવીનું માનવી હોવું જ તેની સૌથી મોટી જીત છે, દાનવ હોવું હાર છે અને મહામાનવ હોવું ચમત્કાર છે- ડો. રાધાકૃષ્ણન.

વૃક્ષ પોતાની ઉપર ગરમી સહન કરે છે અને પોતાની છાયમાં બીજાનો તાપ દૂર કરે છે- તુલસીદાસ.

મહાન વ્યક્તિ મહત્વાકાંક્ષાના પ્રેમથી ખૂબ વધુ આકર્ષિત થાય છે- પ્રેમચંદ.

પ્રલય થાય ત્યારે સમુદ્ર પણ પોતાની મર્યાદાને છોડી દે છે પરંતુ સજ્જન લોકો મહાવિપત્તિમાં પણ મર્યાદાઓ નથી છોડતા- ચાણક્ય.

Sunday, June 16, 2013

મારા પપ્પા સૌથી 'બેસ્ટ' હેપી ફાધર્સ ડે..

કોઈ પણ ખાસ દિવસની ઉજવણી આપણે કેમ કરીએ છે ? કદી ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે. કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આ દોડભાગની જીંદગીમાં આપણને જ્યાં પોતાના માટે વિચારવાનો સમય નથી મળતો ત્યાં બીજાના વિશે કેવી રીતે વિચારી શકીએ? તમારી મમ્મી તમને રોજ જમાડવાં માટે પાછળ દોડતી હોય અને તમે એક જ મિનિટમાં કહી દો છો કે મને નથી ભાવતું, બિચારી મમ્મી ફરી તમને તમારી ભાવતી વસ્તુ બનાવી આપશે. પણ કદી એ વિચાર કરો છો કે જો મમ્મી એકાદ મહિના માટે કશે જતી રહે તો?

શિક્ષક તમને રોજ સારી વાતો શિખવાડે જે તમને જીવનમાં આગળ કામ આવવાની જ છે, છતાં શાળા તમને બોંરિંગ લાગે છે. પણ કદી વિચાર કરો કે શાળા તો એક નિર્જીવ જગ્યા છે તેને જીંવત બનાવનારા શિક્ષક જ ન હોય તો? આમ, કોઈપણ ખાસ દિવસ મનાવવાનો આશય છે તે વ્યક્તિનું તમારા જીવનમાં કેટલું યોગદાન છે, અને તેના વગર તમારાં જીવનમાં શું અસર પડી શકે છે તે તમને સમજાવવા માટે હોય છે.

દોસ્તો, તમારા ઘરમાં એવી કંઈ વ્યક્તિ છે જે તમારી દરેક માગણીઓ પૂરી કરે છે ? તમારી મમ્મીના ફટકારથી બચાવે છે? તમારો દોસ્ત બનીને તમારી સાથે મજાક - મસ્તી કરે છે, રમત રમે છે - પપ્પા ! ઠીક છે ને. પપ્પા કેટલા સારા લાગે છે. તમને નવી નવી વસ્તુઓ અપાવે છે. તમારા માટે ઘોડો બનીને પોતાની પીઠ પર બેસાડે છે. તમને બહાર ફરવાં લઈ જાય છે.

તમે જાણો છો કે પપ્પાનો પણ દિવસ "ફાધર્સ ડે" પણ ઉજવાય છે. "ફાધર્સ ડે"ની ઉજવણી 17મી જૂનના રોજ કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી સેરીના નામની સ્ત્રીએ શરું કરી હતી. સેરીના અને તેના નાના ભાઈ બહેનોનો તેમના પિતાજીએ એકલા હાથે ઉછેર કર્યો હતો. સૌને મધર્સ ડે ઉજવતા જોઈને તેને થયું કે ફાધર્સ ડે પણ ઉજવવો જોઈએ, આથી તેને પોતાના પિતાજીના જન્મ દિવસ 17મી જૂન ને ફાધર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત કરી.

પપ્પાથી ધણાં લોકોને બીક લાગે છે, તો ધણાંને પપ્પા દોસ્ત જેવા લાગે છે. જે લોકોના પિતાજી કડક સ્વભાવના હોય છે તેઓના ઘરમાં અનુશાસન વધું જોવા મળે છે, તેઓ કોઈપણ વાત સીધી પિતાજીને કહેતા ડરે છે, જેમને પિતાજી દોસ્ત જેવા લાગે છે તેમના ઘરનું વાતાવરણ હળવું લાગે છે. તે ઘરના બાળકો દરેક વાત પિતાજીને આરામથી કહી શકે છે. દરેક પિતાને તેના સંતાનો પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે, તમને ઘણીવાર લાગતું હશે કે પિતાજી પાસે તો અમારા માટે સમય જ નથી, તો તમે એ પણ વિચારો કે તમારા પિતાજી કોની માટે આટલી મહેનત કરે છે ? તમારાં ભવિષ્ય માટે જ ને ? તમે સારું ભણશો તો આગળ જઈને સારું ભવિષ્ય બનાવી શકશો. સારું ભણવા માટે વધુ રુપિયા ક્યાંથી આવશે? તમારી ઈચ્છાઓ અને તમારી માગણીઓ પૂરી કરવા માટે રુપિયા ક્યાંથી આવશે? પપ્પા કમાશે ત્યારેજ ને?

તમારું પરિણામ બગડે ત્યારે પપ્પાને ગુસ્સો કેમ આવે છે? કારણ કે તેમને એવું લાગે છે કે હું આ બાળકોના ભણતર પાછળ આટલો પૈસો વેડફુ છું અને તેઓ ઘ્યાનથી ભણી પણ નથી શકતા. તેમનું દિલ દુ:ભાય છે.

જે પિતા તમારી માટે આટલું બધુ કરતાં હોય તો તમારે પણ તેમને ખુશી મળે એવા કામ કરવાં જોઈએ ને? તો ચાલો શરુ કરીએ તૈયારીઓ પિતાજીને ફાધર્સ ડે નિમિત્તે કોઈ સરપ્રાઈઝ આપવાની. તમને સમજ નહિ પડતી હોય કે શું કરવું તો આવો અમે તમને થોડી મદદ કરીએ.

-એક સરસ મજાનું કાર્ડ આપો. આમ તો બજારમાં ઘણાં તૈયાર કાર્ડ મળે છે પણ તમે તમારા હાથથી બનાવીને જે કાર્ડ આપશો તે જોઈને તેમને વધુ આનંદ મળશે.

-તે દિવસે તમે તમારાં હાથથી તેમને પાણી, ચા, કે નાસ્તો આપો. જેનાથી પપ્પા તો ખુશ થશે પણ સાથે-સાથે મમ્મીને પણ આરામ મળશે.

-તમે તમારા પિતાજીને પ્રોમિસ કરો કે તેમણે તમને લઈને જે સપનાં જોયા છે તે જરુર પૂરા કરશો. કોઈ પણ પિતા માટે આનાથી કિંમતી કોઈ ભેંટ નહિ હોય.

-અત્યાર સુધી તમે જે ભૂલો કરી છે તેને માટે માફી માંગો અને ફરી કદી તેમને ફરિયાદ કરવાનો મોકો નહિ મળે તેનું પ્રોમિસ કરો.

આજના આ બદલતા જમાનામાં બાળકોને વધુ સારુ શિક્ષણ આપવા માટે પિતા વધુને વધુ મહેનત કરે છે. જે બાળકોના ભવિષ્ય તેઓ માટે આખો દિવસ બહાર રહે છે એ બાળકો સાથે સમય વિતાવવાનો તેમની પાસે આજે સમય નથી. તો આજે અપણે આપણા પિતાજી સાથે આજે પૂર્ણ દિવસ વિતાવી અને તેમનુ આપની જીંદગીમાં કેટલુ મહત્વ છે તે સમજીએ.

Friday, May 3, 2013

અમદાવાદ નેશનલ બુક ફેર

ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે શહેરમાં પહેલી મેથી સાતમી મે સુધી રાષ્ટ્રીય પુસ્તક મેળો 'અમદાવાદ નેશનલ બુક ફેર’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નેશનલ બુક ટ્રસ્ટ, ગુજરાતી સાહિ‌ત્ય પરિષદ અને ગુજરાત પ્રકાશક મંડળના સહયોગથી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગયા વર્ષે પ્રથમ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષ કનૈયાલાલ મુનશીની ૧૨પમી અને રાજેન્દ્ર શાહની ૧૦૦મી જન્મ શતાબ્દીનું વર્ષ હોવાથી આ પુસ્તક મેળામાં સૌ પ્રથમ દિવસે તેમની શતાબ્દી વંદનાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં આખા ગુજરાતમાંથી વિદ્વાનો ઉપસ્થિત તો રહેશે જ, પણ સાથે સાથે ઓડિશાના પ્રખ્યાત લેખક અને પદ્મશ્રી મનોજ દાસ પણ ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ 'ધ ઇન્ટ્રિક રૂટ ઓફ લિટરેચર’ વિશે વક્તવ્ય આપશે.
આ ઉપરાંત દરરોજ બાળકો અને યુવાનોને રસ પડે તેવાં સાહિ‌ત્યને લગતા વિવિધ કાર્યક્રમો પણ આ બુક ફેરમાં આયોજિત થશે. જેમાં બાળકો માટે પિક્ચર સ્ટોરી વર્કશોપનું આયોજન કરાશે. આ ઉપરાંત પુસ્તક પ્રકાશકોને તેમના વ્યવસાયને લગતી કેટલીક માહિ‌તી પણ પૂરી પડાશે. જેમાં કોપીરાઇટના કાયદા, કેવી રીતે સારું પુસ્તક પ્રકાશિત કરી શકાય, બુક ટ્રેડ જેવા વિષયોને આવરી લેવાશે. રોજ સાંજે કન્વેન્શન સેન્ટરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં કવિ સંમેલન, લોક સાહિ‌ત્ય, સુગમ સંગીતના કાર્યક્રમો યોજાશે.
કઇ ભાષાનાં પુસ્તકો હશે?
આ પુસ્તક મેળામાં ગુજરાતી, હિ‌ન્દી, અંગ્રેજી, ઉર્દૂ, સિંધી, મરાઠી, બંગાળી, જેવી ૧૦થી ૧૨ ભાષાઓનાં પુસ્તકો હશે. ઉપરાંત વિવિધ ભાષામાંથી અનુવાદિત પુસ્તકો પણ અહીં જોવા મળશે.
કયા કયા પ્રકાશકો ભાગ લેશે?
આ પુસ્તક મેળામાં ગુજરાતી સાહિ‌ત્ય પરિષદ, ગુજરાત સાહિ‌ત્ય અકાદમી, નવજીવન ટ્રસ્ટ, નવભારત સાહિ‌ત્ય મંદિર, આર.આર. શેઠની કંપની જેવા ગુજરાતના પ્રકાશકો તો ખરા જ, પણ સાથે સાથે નેશનલ બુક ટ્રસ્ટ, સાહિ‌ત્ય અકાદમી દિલ્હી, રાજકમલ પ્રકાશન જેવા રાષ્ટ્રીય ઉપરાંત જાપાન અને અન્ય દેશોમાંથી ઇન્ટરનેશનલ પ્રકાશકો પણ હાજરી આપશે.
૧૨પ વિદ્વાનોને મળવાનો લહાવો
આ માત્ર પુસ્તક મેળો નથી. આ સંસ્કૃતિ મેળો છે. આ મેળાનાં આયોજન અને તેને ચરિતાર્થ કરવામાં સામાન્ય જનથી માંડીને શ્રેષ્ઠ જનો સામેલ છે. યુવાનોએ આ મેળાનો ખાસ લાભ એમ લેવો જોઇએ કે અહીં આ સાત દિવસ દરમિયાન સવાસો જેટલા વિદ્વાનોને પ્રત્યક્ષ સાંભળવાનો અને મળવા- જોવાનો લાભ મળી શકશે.
રાજેન્દ્ર પટેલ: મહામંત્રી, ગુજરાતી સાહિ‌ત્ય પરિષદ
ઝીણવટપૂર્વકનું આયોજન
આ વર્ષે આ પુસ્તક મેળાનું આયોજન અમે બમણા સ્કેલ પર કર્યું છે. મોટા સમૂહ માટે મંડપની વ્યવસ્થા અઘરી હોવાથી આ વખતે યુનિવર્સિ‌ટી કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કર્યું છે. ઉપરાંત આવનારા લોકોને કોઇ જ પ્રકારની અગવડ ન પડે તેનું કોર્પોરેશને ખૂબ જ ઝીણવટપૂર્વક આયોજન કર્યું છે.
તેજસ ભંડારી: આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર

Saturday, April 20, 2013

રાશિ પરથી તમે જાણી શકો છો કે યુવતી તમને કેટલો પ્રેમ કરશે.


જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાશિ પ્રમાણેની વ્યક્તિ તે પ્રમાણેનું વર્તન કરતી હોય છે રાશિ પરથી તમે જાણી શકો છો કે યુવતી તમને કેટલો પ્રેમ કરશે.

મેષ રાશિ
મેષ રાશિની યુવતીઓ સાચા પ્રેમની શોધ કરતી રહેતી હોય છે, પરંતુ જ્યારે પ્રેમ મળે ત્યારે તેઓ માત્ર આકર્ષાય છે, પ્રેમ કરી શકતી નથી. મેષ રાશિની મહિલા તમને પ્રભાવિત કરીને તમને પોતાની જાળમાં ફસાવી શકે છે. તેઓ હંમેશા પ્રેમીના જીવનમાં પોતાનું મહત્વ ઈચ્છતી હોય છે.

વૃષભ રાશિ
વૃષભ રાશિની યુવતીઓને પ્રેમ નિર્મલ અને મધુર હોય છે, તેમના પ્રેમમાં મીઠાશ જોવા મળે છે. તેનો પ્રેમ ચુંબક જેવું કામ કરે છે. આ રાશિની મહિલાઓ જેને પણ પ્રેમ કરે છે, તેની સાથે ઈમાનદારીથી પ્રેમ કરે છે. આવી યુવતીઓનું મન શાંત અને સ્થિર હોય છે. તેઓ દેખાવ કરવામાં માનતી નથી, પરંતુ જો તેઓને ગુસ્સો આવી જોય તો શાંત રાખવું અઘરું બની જાય છે. આવી મહિલાઓ એક જ પ્રેમી ઈચ્છતી હોય છે અને વિશ્વાસલાયક હોય છે.

મિથુન રાશિ

મિથુન રાશિની મહિલાઓ ખૂબ જ રોમેન્ટિક સ્વભાવની હોય છે. જો તેને પોતાના પ્રેમી પર શંકા જાય તો કોઈપણ રીતે શોધી કાઢે છે. તેઓ ચંચળ સ્વભાવની હોય છે અને પ્રેમ માટે ભટકતી રહે છે. જો કે તેનો મતલબ એ નથી કે તેઓ બેવફા હોય છે, પરંતુ મિથુન રાશિમી મહિલા ઝડપથી કોઈ પુરુષના પ્રેમમાં પડતી નથી, તે પહેલાં પારખે છે. આવી મહિલાઓના સપનાં પણ ચંચળ હોય છે. તેઓ પ્રેમને પણ કાલ્પનિક રીતે જીવવા માંગે છે. આવી મહિલાઓ પોતાના જીવનનાં બધાં પાનાં સામેની વ્યક્તિ સામે ખોલી દે છે. આવી મહિલાઓમાં ઈર્ષ્યા ભાવ અન્ય રાશિની મહિલાઓ કરતાં વધુ હોય છે.

કર્ક રાશિ
કર્ક રાશિની મહિલાઓને આસાનીથી માનતી નથી. તેમના માટે પ્રેમમાં ગિફ્ટ, ફૂલ અને પ્રેમ પત્રો મહત્વનાં હોય છે અને આ વસ્તુઓ આપવાથી તે જલ્દી મોહિત થઈ જાય છે. તેઓને પ્રેમ કરવાની કોઈ ઉતાવળ હોતી નથી. તેઓ પ્રેમ કરે ત્યારે સમર્પિત થઈને રહેતી હોય છે. કર્ક રાશિની મહિલાઓ થોડી જીદ્દી સ્વભાવની હોય છે.

સિંહ રાશિ
સિંહ રાશિની મહિલાઓ સ્વભાવમાં તીવ્રતા અને ઝૂનુન ધરાવતી હોય છે. પુસ્તકો અને ફિલ્મોનાં પ્રેમને પામવાની કોશિશ સિંહ રાશિની યુવતીઓ પહેલાં કરતી હોય છે. તે પૂરી દુનિયામાં પોતાના પ્રેમને કેન્દ્રમાં રાખે છે. સિંહ રાશિની યુવતી સમાધાન કરવા તૈયાર થતી નથી. એક ક્ષત્રિય પ્રેમી સિંહ રાશિની યુવતી તરફ જલ્દી આકર્ષાય છે.

કન્યા રાશિ
કન્યા રાશિની યુવતીમાં આંતરિક શક્તિ અને દ્દઢ સંકલ્પ કરવાની શક્તિ હોય છે. તેઓના વ્યવહારમાં પણ પ્રેમ દેખાઈ આવે છે. તેઓ ભાવુક હોય છે અને સંબંધો પ્રત્યે વધુ ધ્યાન આપે છે. આવી યુવતીઓ એક સમયે એક જ યુવકને પ્રેમ કરતી હોય છે.

તુલા રાશિ
તુલા રાશિ વીનસ દ્વારા શાસિત હોય છે. પ્રેમમાં સંતુલન રાખી શકે છે. તે પ્રેમનો ભરપૂર આનંદ માણે છે અને તેને સમર્પિત થઈને રહે છે. તેઓ આરામપ્રિય અને પ્રેમ ઈચ્છુક હોય છે. તેઓ દિમાગથી ખેલવું પસંદ કરતી નથી.

વૃક્ષિક રાશિ
વૃક્ષિક રાશિની મહિલાઓ પ્રેમમાં ભરપૂર પડવા માંગે છે અને સેક્સી હોય છે. તેઓ છૂપાવવામાં માહેર હોય છે અને ગંભીર રહેતી હોય છે. વાસ્તવિક ભાવનાઓ સાથે તેમને કોઈ ખાસ નિસ્બત હોતી નથી.

ધન રાશિ
ધન રાશિની મહિલાઓ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ પતિની કલ્પના કરતી હોય છે. તેઓ પ્રેમની શરૂઆત પહેલાં દોસ્તીથી થાય તેવું ઈચ્છતી હોય છે. આવી મહિલાઓ ઈમાનદાર અને વિશ્વસનીય હોય છે.

મકર રાશિ
મકર રાશિની મહિલાઓ ના તો પહેલી જ નજરમાં પ્રેમમાં પડે છે અને ના તો પ્રેમ પાછળ સમય બરબાદ કરવા ઈચ્છે છે. તેઓ પ્રેમમાં વિશ્વાસ કરે છે, પરંતુ ભાગ્ય પર વિશ્વાસ કરતી નથી. તે અન્યો કરતાં પોતાની જાત પર પહેલા ભરોસો રાખે છે. તે પહેલાં પોતાના સાથીને સમજવાની કોશિશ કરે છે અને બાદમાં પોતાની સંમતિ દર્શાવે છે.

કુંભ રાશિ
કુંભ રાશિની મહિલાઓ માટે પ્રેમ એ માત્ર એક રમત છે, પરંતુ ખૂબ જ વિશ્વાસ સાથે તેઓ આ રમત રમી લેતી હોય છે. તે અવારનવાર પોતાના પ્રેમીની પરીક્ષા લેવાનું ઈચ્છતી હોય છે. પ્રેમી સાથે તે દરેક તકલીફમાં ઉભી રહેવા તૈયાર રહે છે.

મીન રાશિ
મીન રાશિની મહિલાઓ પ્રેમ માટે અલગ જ લાગણી ધરાવે છે. તેઓ સપનામા પણ પ્રેમ જોવાનું ઈચ્છતી હોય છે. તેઓ સમય વીતતો જાય તેમ પ્રેમમાં ગંભીર થતી હોય છે. તે બરાબર તપાસ બાદ જ પ્રેમીને હા પાડતી હોય છે. આવી મહિલાઓને અન્ય સુખ કરતાં પ્રેમમાં અલિપ્ત રહેવું વધુ ગમતું હોય છે.