Tuesday, September 23, 2025

વ્યવહારિકબુદ્ધિ તથા જીવનપાઠ

ત્રણ ઉદાહરણો:
૧. એક શ્રેષ્ઠ જીપ/કાર બનાવવા ઇજનેરો રાત દિવસ મથેલા. અંતે, એ ગાડી તૈયાર થઈ અને એના મોડલના પ્રદર્શન માટે ભવ્ય સમારોહ આયોજિત થયો. પણ આયોજન સ્થળે દરવાજો/ગેટ/ કમાન ગાડીની હાઇટ કરતા સહેજ નીચા હતા! હવે ઇજનેરો ગૂંચવાયા કે ગાડીને પ્રદર્શનમાં સ્ટેજ સુધી લઈને કેમ જાય? માથે સ્ક્રેચ પડે એ તો પોસાય નહી.. ગેટ કે કમાન પણ કેમ કરીને કાઢવી. ઇજનેરો, અધિકારીઓ ગૂંચવાયા પણ ત્યાં જ ત્યાંના સિક્યોરિટી વાળા ભાઈએ કહ્યું કે અરે મુંઝાવ મા... ચારેય વ્હીલમાંથી હવા કાઢી નાખો.. આ ગાડી સરળતાથી જતી રહેશે! 😊

૨.  એક સાબુની ફેક્ટરીમાં ફાઇનલ પત્તા ઉપર રેપરની અંદર સાબુની  ગોટી મૂકતા અને છેલ્લું પેકિંગ કરી નાખતા. કઈક લોચાને લીધે, સો દોઢસો નંગે, બે ત્રણ સાબુ વગરના ખાલી  રેપર પેકિંગમાં જતા રહેતા. કંપનીની દુકાનદારોમાં શાખ બગાડવા લાગી કે સો ને બદલે અઠ્ઠાણું જ સાબુ મળે છે! ફેક્ટરીના માલિક સાથે ભલભલા લોકો ગોટે વળ્યા કે શું કરવું? સેન્સર લઈ આવવું કે એક માણસને  સતત પેકિંગ જોવા બેસાડવો !  ત્યાં ચા લઈને આવતા બલકે કહ્યું સાહેબ, ટેબલફેન રાખી દેજો.. ખાલી રેપર હઇશે  તો એમનેમ ઊડી જાહે 🙃😊

૩. ભારતની સારી ટૂથપેસ્ટ કંપનીનું વેચાણ મહત્તમ કક્ષા આવી પહોંચ્યું.. પણ છેલ્લા છ મહિનાથી વેચાણ એના પછી વધવાનું અટકી ગયેલું. ઘરેઘરે પહોંચી ગયા બાદ પણ કંપનીના માણસોને અસંતોષ હતો કે હજુય વેચાણ વધવું જોઈએ.. એમણે અનેક મિટિંગ કરીને સોલ્યુશન લાવવા પ્રયત્નો કર્યા! મિટિંગમાં ગરમ ગરમ ચા આપવા જે ભાઈ આવતા તેઓ કહી ગયા કે આમાં કાઈ ના હોય.. પેસ્ટ નું મોઢું સહેજ એકાદ મિલીમીટર જેટલું જ મોટું કરી દેવાનું..રોજ પેસ્ટ વધારે નીકળશે, મહિનાને બદલે પચીસ દિવસમાં પૂરી થશે..તમારું વેચાણ વધશે..અને કહેવાય છે કે વેચાણ લગભગ ત્રણેક ટકા ખરેખર આ કિમિયાને લીધે વધ્યું!!

.....

મને ક્યાંક ક્યાંક વાંચવામાં આવેલ આ પ્રસંગો અહીંયા મેં સ્મૃતિ આધારે જ મૂક્યા છે.. 

🌹જીવનમાં મુશ્કેલી બહુ મોટી લાગતી હોય ત્યારે, ઠંડા કલેજે નાના નાના સોલ્યુશન ઉપર ધ્યાન આપવું. મહદ અંશે, ત્યાંથી જ સમસ્યાનું સાચું  સમાધાન મળી રહેતું હોય છે.

🌹આપણે કોને  મૂરખ, અભણ અને કોને એક્સપર્ટ માનીએ છીએ એ જરાય અગત્યનું નથી.. અનેક વાર સોલ્યુશન તમે જેમને મૂરખ કે અભણ માનો છો એમની પાસેથી જ મળતું હોય છે.😀

🌹 ઉપરના ત્રણેય ઉદાહરણોમાંથી શીખીએ કે, 
આપણામાં પણ ઝાઝી હવા ભરવા દેવી જ નહીં... કોઈ પણ કમાનમાંથી નીકળી શકશો.. સાવ ખાલી પણ ન રહેવું, નહિતર સમયની એક ઝાપટે ઊડી જશો અને જરીક વધારે આપતા શીખવું.. તો હરદમ ડિમાન્ડમાં રહેશો🩷

અસ્તુ...🙏🏻

Friday, August 1, 2025

બીલીપત્ર તથા બીલી ના ઝાડનું મહત્વ

બીલીપત્ર 
૧ ) બીલી નું ઝાડ મહાદેવ સ્વરૂપ છે
૨) બિલી ની સેવા કરવાથી શ્રી લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે 
૩)બિલી નો  કાંટો વાગવા થી મુત્યુ ની પીડા હરાય છે ૪)બિલી ની પ્રદક્ષિણા કરવાથી અડસઠ તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે 
૫) નાના મોટા જીવ જંતુ જાણે અજાણે મારિયા હોય તો બિલી ની પ્રદક્ષિણા થી જ એ પાપ ધોવાય છે 
૬) બિલી ના ઝાડ નીચે શિવપુરાણ વચવાથી અક્ષય પુણ્ય મળે છે 
૭)બિલી ના ઝાડ ને પાણી  પીવડાવવા થી શિવ જી ના અભિષેક જેટલું જ પુણ્ય મળે છે 
૮)બિલી ના ઝાડ નીચે દીવો કરવાથી તત્વજ્ઞાન  મળે છે આધ્યાત્મિક તત્વજ્ઞાન , મુડતત્વ ની પાપ્તી થાય છે 
૯) આ મુત્યુ લોક માં જેના ઘરે બિલી છે એને જ પવિત્ર માનવામાં આવી યા છે તેના ઘરે અડસઠ તીર્થો
બિરાજમાન છે 
૧૦) બિલી ના ઝાડ નીચે પ્રાથીવ શિવલિંગ/માટી નું શિવલિંગ બનવાનો ખુબ મહિમા છે 
૧૧)બિલી ના ઝાડ ની નીચે જે ઓમ નમઃ શિવાય મહા મંત્ર ની માળા કરે છે તો જેટલા બિલી ના પાન છે તેટલા પાન મહાદેવ ને ચડાયા હોય એટલું પુણ્ય મળે છે 
૧૨)કોઈ પણ માળા ને સિદ્ધ કરવી હોય તો બિલી ના ઝાડ નીચે  જાપ કરવો જ જોઈએ  શિવાલય માં જાપ થતાં હોય તો પણ ૩ વાર તો બિલી ના ઝાડ નીચે જાપ કરવો જ જોઈએ 
૧૩) બિલી નું જંગલ જે લોકો બનાવે છે ભવો ભવ શ્રી લક્ષ્મી ની પ્રાપ્તી થાય છે 
૧૪) બિલી ના ઝાડ ને સ્પર્શ કરવા માત્ર થી અઘોર પાપો માંથી મુક્તિ મળે છે 
૧૫)બિલી ના ઝાડ ના પાન એ જ તોડી શકે છે જેને વાવિયું છે જેને ઉછેરિયું હોય એને પણ તોડવાનો અધિકાર નથી ( શિવ રહસ્ય) જે વાવે એ જ તોડે 
૧૬) જે દિવસે જીવ જંતુ ને મારિયા હોય એ દિવસે બિલી ની ૧૦૮ પ્રદક્ષિણા થી એ પાપ થી મુક્ત થઈ શકાય છે 
૧૭) બિલી નું ઝાડ એ મહાદેવ સ્વરૂપ હોવાથી દરશન કરવાથી એ દિવસે ના પાપ ધોવાઇ જાય છે 
૧૮) જેને  આ ધરતી પર બિલી વાવી યા છે તેમને મહાદેવ ની દુનિયા માં વિશ્વ કલ્યાણ નું કામ કર્યું છે અને વિશ્વ કલ્યાણ એ જ શિવ નો સંકલ્પ છે જે થી એ જીવ ને શિવ પદ ની પ્રાપ્તિ થાય છે  
૧૯) બિલી ના ઝાડ નીચે શિવ ભક્ત ને જમાડવા થી  દ્રારિદ્ર નો નાશ થાય છે 
૨૦) બિલી ના ઝાડ નીચે સૂવાથી કાલ રાત્રિ સુધરે છે 
૨૧)બિલી ના ઝાડ નીચે ભોજન કરવાથી કાતો કરાવાથી ૬૮ તીર્થ માં ભોજન કરવાનું પુણ્ય મળે છે 
૨૨) જે લોકો જ્યોતિર્લિંગ ની યાત્રા કરવામાં ( વૃદ્ધ  લોકો )અસફળ હોય તે જીવ એ બિલી નો આશ્રય લેવો જોઈએ અને જે ઘર ની બિલી ની છાયા નીચે હોય તે ઘર ઘર નથી તીર્થ છે જીવ નું  ખાવું પીવું સૂવું (જે ના ઘરે બિલી હોય )બિલી નીચે રાખવા માત્ર થી તીર્થો નું પુણ્ય મળે છે 
૨૩) દેવતાઓ પણ બિલી ના ઝાડ ની સ્તુતિ કરે છે 
૨૪) બિલી ના ઝાડ ના ક્યારા ને પાણી થી ભરી દેવાથી અને દીવો કરવાથી મહાદેવ  મહાદેવ રાજી થાય છે 
૨૫)બિલી ના ઝાડ નીચે થી શબ યાત્રા નીકળે તો જીવ મુક્ત થાય છે 
૨૬) માત્ર ૧ જ બિલી વાવવાથી ૧ કરોડ શિવ મંદિર નિર્માણ નું પુણ્ય મળે છે 
૨૭) શિવમંદિર માં પખાલ થઈ ગઈ હોય તો બિલી ના ઝાડ ને પાણી અર્પણ કરી દેવું જે મહાદેવ ને ચડાયા બરાબર છે  
૨૮) બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ બિલી માં બિરાજમાન છે 
૨૯)બિલી ના વૃક્ષ ને શ્રી વૃક્ષ કેહવાય છે 
૩૦) જો (શક્ય હોય તો )જીવન માં ૧ વાર બિલી ના જંગલ માં ઝુપડું બનાઈને(  ૩,૫ ,૧૧ રાત્રિ )રેહવું જેથી ભવે ભવઃ ના તમામ અઘોર પાપો માંથી મુક્તિ મળે છે અને શિવ પદ મળે છે (શિવ રહસ્ય )👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🕉️નમ:શિવાય  🕉️ નમ : શિવાય 🕉️ નમ : શિવાય 🚩🚩🚩🚩🚩🙏🏻દેવો કે દેવ મહાદેવ 🙏🏻🚩🚩🚩🚩🚩

Sunday, April 7, 2024

કેટલીક પ્રેરણાત્મક કોર્પોરેટ કથાઓ

આ બે કોર્પોરેટ કથાઓ સદાય યાદ રહેશે.

૧. Yahoo એ Google ને નકારી હતી.

૨. Nokia એ Android ને જાકારો આપ્યો હતો.

ઉપસંહાર :

- તમારી જાતને સમય સાથે અપડેટ કરતા રહો, નહિતર એક દિવસ તમે બિન જરૂરી બની રહેશો અને ફેંકાઈ જશો.

- જોખમ ના લેવું એ સૌથી મોટું જોખમ છે. સાહસી બનો અને નવી નવી ટેકનોલોજી સ્વીકારતા રહો.



બીજી બે કોર્પોરેટ કથાઓ પણ યાદ રાખો :

૧. Google એ You Tube અને Android ને હસ્તગત કરી લીધાં.

૨. Facebook એ Instagram અને WhatsApp હસ્તગત કરી લીધાં.

ઉપસંહાર :

- એટલાં શક્તિશાળી બનો કે તમારાં શત્રુ કે પ્રતિસ્પર્ધીને તમારાં દોસ્ત બની જવાની ફરજ પડે.

- ઝડપથી વૃદ્ધિ સાધો, મોટાં બની જાઓ અને સ્પર્ધા દૂર કરી દો.



આ બે મહાન હસ્તીઓનાં ભૂતકાળની કથા વાંચો :

૧. બરાક ઓબામા એક સમયે આઇસક્રીમ વેચવાનું કામ કરતા હતા.

૨. એલન મસ્ક લાકડાની વખારનો કક્ષ સાફ કરવાનું કામ કરતા હતા.

ઉપસંહાર :

- કોઈનું તેના ભૂતકાળના કામ ને આધારે આકલન ના કરો.

- તમારો વર્તમાન તમારું ભવિષ્ય નક્કી કરતો નથી, તમારી મહેનત અને હિંમત એનું નિર્માણ કરે છે.



આ બે વાતો જાણો છો? :

૧. કર્નલ સેન્ડર્સ પાંસઠ વર્ષની ઉંમરે KFC નું સર્જન કરે છે.

૨. જેક મા KFC દ્વારા અસ્વીકૃતી પામી Alibaba નું સર્જન કરે છે.

ઉપસંહાર :

- ઉંમર માત્ર એક આંકડો છે. તમે ગમે તે ઉંમરે સફળતા પામી શકો છો.

- જીવનમાં ક્યારેય હિંમત હારશો નહીં, જે ક્યારેય હિંમત હારતાં નથી, તે અંતે જીતે જ છે.



આ પણ વાંચો અને તેમાંથી બોધપાઠ લો :

૧. Ferrari નાં માલિકે એક ટ્રેક્ટર બનાવનારનું અપમાન કર્યું હતું.

૨. એ જ ટ્રેક્ટર બનાવનારે Lamborgini નું સર્જન કર્યું.

ઉપસંહાર :

- ક્યારેય કોઈને નાના ગણશો નહીં કે કોઈનું અપમાન કરશો નહીં.

- સફળતા એ બદલો લેવાની શ્રેષ્ઠ રીત છે.



આ બધી કથાઓ પરથી શીખવા મળે છે કે :

- તમે કોઈ પણ કામ કરતાં હોવ કે કોઈ પણ ઉંમર ના હોવ; ખંત, ધગશ અને મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી શકો છો.

- મોટાં સ્વપ્નો જુઓ. ધ્યેય નિર્ધારીત કરો. અથાગ મહેનત કરો.

- જીવનમાં ક્યારેય હિંમત હારશો નહીં. સદાય એવી શ્રદ્ધા રાખો કે આવતી કાલ બહેતર હશે.

(ઈન્ટરનેટ પરથી)

આશા, ઉત્સાહ અને હકારાત્મકતાનો સંચાર

એક રાજા પાસે ઘણાં હાથી હતાં. પણ આ બધાં માંથી રાજાને એક હાથી વિશેષ પ્રિય હતો કારણ તે ઘણો શકિતશાળી, આજ્ઞાકારી, સૂઝબૂઝ ધરાવતો અને કૌશલ્યધારી હતો - ખાસ કરીને યુદ્ધમાં લડવામાં.

ઘણાં યુદ્ધમાં તેને સમરાંગણમાં મોકલવામાં આવતો અને તે યશસ્વી થઈ પાછો ફરતો. આમ રાજાને ઘણી વાર વીજયી બનાવવાને કારણે તે રાજાને ખૂબ પ્રિય હતો.

સમય તો વહેતો જ રહે છે. તેના વહેણમાં એક સમય એવો આવ્યો જ્યારે આ હાથી વૃદ્ધ થઈ ગયો. હવે તેનું બળ ઓછું થયું હતું. આથી રાજાએ તેને લડાઈના મેદાનમાં મોકલવાનું બંધ કર્યું. છતાં તે રાજાના કાફલાનો તો ભાગ હતો જ.

એક દિવસ આ હાથી પાણી પીવા તળાવે ગયો. પણ તેનો પગ ત્યાં કાદવમાં ખૂંપી ગયો અને તે ડૂબવા લાગ્યો. તેણે બચવા માટે ખૂબ ફાંફા માર્યા પણ એમાં તે ફાવ્યો નહીં.

તેની બૂમો સાંભળી લોકો ત્યાં ભેળાં થયાં અને સૌ એ જોયું કે હાથી મુશ્કેલીમાં ફસાયો છે. રાજા સુધી આ ખબર પહોંચી ગઈ.

રાજા પોતાના ખાસ માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને બધાં એ હાથીને બચાવવાના પ્રયત્નો કરવા માંડ્યા. પણ ઘણાં સમય સુધી મહેનત કરવા છતાં કોઈ હાથીને કાદવમાંથી બહાર કાઢી શક્યું નહીં.

એ સમયે ગૌતમ બુદ્ધ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે આ દ્રશ્ય જોયું. તેમણે રાજાને હાથીને બચાવવા તળાવ પાસે યુદ્ધમાં વગાડાતાં નગારા વગાડાવવાનું સૂચન કર્યું.

સાંભળનારાઓ સૌ આવું વિચિત્ર સૂચન સાંભળી ચોંકી ઉઠયા. યુદ્ધમાં વગાડાતાં નગારા વગાડી કઈ રીતે કાદવમાં ફસાયેલા હાથીને બહાર કાઢી શકાય એ તેમની સમજની બહાર હતું. પણ તેમનામાં ગૌતમ બુદ્ધના સૂચન સામો પ્રશ્ન કે સંદેહ કરવાની હિંમત નહોતી. તરત તળાવ પાસે નગારા મંગાવવામાં આવ્યા અને તેમને વગાડવાનું શરૂ થયું.

જેવો હાથીએ યુદ્ધમાં વગાડાતાં નગારાંનો ધ્વનિ સાંભળ્યો કે તરત તેના હાવભાવ, વર્તન અને નિર્ધારમાં દેખીતું પરિવર્તન જોવા મળ્યું.

પહેલાં હાથી ધીરે ધીરે પોતાના પગ પર જ ઉભો થયો અને પછી તેણે પોતાના બળ અને બુદ્ધિનો ઉપયોગ કર્યો અને થોડી જ વારમાં તે પોતાની મેળે કાદવમાંથી બહાર આવી ગયો. સૌ કોઈ આ જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં.

ગૌતમ બુદ્ધે સસ્મિત કહ્યું, "હાથીમાં બળની કમી નહોતી પણ તેનામાં ઉત્સાહ, પ્રેરણા અને અંતર થી જીતવાની ઈચ્છા ફૂંકવાની જરૂર હતી. જીવનમાં ઉત્સાહ જાળવી રાખવા મનુષ્યે પણ અર્થપૂર્ણ વિચારધારા અપનાવવાની જરૂર છે અને નિરાશાને પોતાના પર હાવી થવા દેવાની નથી."

  આજે સમય થોડો કઠણ છે, તેવામાં આપણે સૌ એ પોતાનામાં તેમજ આપણી આસપાસનાં લોકોમાં આશા અને ઉત્સાહનો સંચાર કરતા રહેવાનો છે, પેલાં હાથીને મુશ્કેલીમાંથી બહાર કાઢનાર યુદ્ધનગારાં જેવાં વાદ્ય વગાડી. તેના હકારાત્મક ધ્વનિ દ્વારા આનંદની છોળો ઉડાડવાની છે અને તંદુરસ્તી અને સુખ છલકાવવાના છે.

યાદ રાખો : આ સમય પણ પસાર થઈ જશે. સુખ ફેલાવો... આનંદ પ્રસરાવો...


(ઈન્ટરનેટ પરથી)

Saturday, March 30, 2024

પાતાલ ભુવનેશ્વર ગુફાની મુલાકાત...


Photo of પાતાલ ભુવનેશ્વર ગુફા, જેમાં વિશ્વના અંતનું રહસ્ય છુપાયેલું છે. by Vasishth Jani

પાતાલ ભુવનેશ્વર ઘણા છુપાયેલા અને અસ્પૃશ્ય પાસાઓ સાથે એક જાદુઈ સ્થળ છે. દરિયાઈ સપાટીથી 1350 મીટરની ઉંચાઈ પર સ્થિત આ સ્થાન એક આધ્યાત્મિક સ્થળ તરીકે ઓળખાય છે જે શિવ મંદિર ગુફા માટે પ્રખ્યાત છે

સ્થળનું નામ બે શબ્દો પરથી આવ્યું છે જેનો અર્થ થાય છે પૃથ્વી અને બ્રહ્માંડનો દેવ. ઓક અને દેવદારના ગાઢ વાતાવરણ વચ્ચે સ્થિત આ સુંદર સ્થળ સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે આ ગુફામાં અંદાજે 33 કરોડ દેવી-દેવતાઓનું ઘર છે. એવું કહેવાય છે કે આ સ્થળની શોધ સૂર્યવંશના શાસક રાજા ઋતુપર્ણે કરી હતી. તેનાથી સંબંધિત રહસ્ય જાણવા માટે આ સ્થળની અવશ્ય મુલાકાત લો.

પાતાલ ભુવનેશ્વર ગુફા મંદિરનો ઈતિહાસ -

Photo of પાતાલ ભુવનેશ્વર ગુફા, જેમાં વિશ્વના અંતનું રહસ્ય છુપાયેલું છે. by Vasishth Jani

પુરાણો અનુસાર, પાતાળ ભુવનેશ્વર સિવાય, એવી કોઈ જગ્યા નથી જ્યાં ચારેય ધામ એકસાથે જોવા મળે. આ પવિત્ર અને રહસ્યમય ગુફામાં સદીઓનો ઇતિહાસ સમાયેલો છે. માનવામાં આવે છે કે આ ગુફામાં 33 કરોડ દેવી-દેવતાઓએ પોતાનો વાસ બનાવ્યો છે. પુરાણોમાં લખ્યું છે કે આ ગુફા ત્રેતાયુગમાં રાજા ઋતુપૂર્ણાએ સૌપ્રથમ જોઈ હતી, દ્વાપર યુગમાં પાંડવોએ અહીં ભગવાન શિવ સાથે ચોપાર વગાડી હતી અને કળિયુગમાં જ્યારે જગત ગુરુ શંકરાચાર્ય 722 ઈ.સ.ની આસપાસ આ ગુફાની મુલાકાતે ગયા ત્યારે તેઓ તાંબાનું શિવલિંગ હતું. અહીં સ્થાપિત. આ પછી કેટલાક રાજાઓએ આ ગુફા શોધી કાઢી. આજે પાતાલ ભુવનેશ્વર ગુફા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ગુફાની મુલાકાત લેવા માટે દેશ-વિદેશના ઘણા પ્રવાસીઓ આવતા રહે છે.

ભગવાન ગણેશનું મસ્તક પાતાલ ભુવનેશ્વર ગુફાની અંદર છે:-

Photo of પાતાલ ભુવનેશ્વર ગુફા, જેમાં વિશ્વના અંતનું રહસ્ય છુપાયેલું છે. by Vasishth Jani

પુરાણો અનુસાર, પાતાળ ભુવનેશ્વર સિવાય, એવી કોઈ જગ્યા નથી જ્યાં ચારેય ધામ એકસાથે જોવા મળે. આ પવિત્ર અને રહસ્યમય ગુફામાં સદીઓનો ઇતિહાસ સમાયેલો છે. માનવામાં આવે છે કે આ ગુફામાં 33 કરોડ દેવી-દેવતાઓએ પોતાનો વાસ બનાવ્યો છે. પુરાણોમાં લખ્યું છે કે આ ગુફા ત્રેતાયુગમાં રાજા ઋતુપૂર્ણાએ સૌપ્રથમ જોઈ હતી, દ્વાપર યુગમાં પાંડવોએ અહીં ભગવાન શિવ સાથે ચોપાર વગાડી હતી અને કળિયુગમાં જ્યારે જગત ગુરુ શંકરાચાર્ય 722 ઈ.સ.ની આસપાસ આ ગુફાની મુલાકાતે ગયા ત્યારે તેઓ તાંબાનું શિવલિંગ હતું. અહીં સ્થાપિત. આ પછી કેટલાક રાજાઓએ આ ગુફા શોધી કાઢી. આજે પાતાલ ભુવનેશ્વર ગુફા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ગુફાની મુલાકાત લેવા માટે દેશ-વિદેશના ઘણા પ્રવાસીઓ આવતા રહે છે.

Photo of પાતાલ ભુવનેશ્વર ગુફા, જેમાં વિશ્વના અંતનું રહસ્ય છુપાયેલું છે. by Vasishth Jani

ગુફાનું સૌથી રસપ્રદ પાસું વિશ્વમાં પ્રલયની ઘટના સાથે સંબંધિત છે. અહીં ચાર થાંભલા છે. કહેવાય છે કે આ સ્તંભો સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગના પ્રતિક છે. પ્રથમ ત્રણ યુગનું પ્રતિનિધિત્વ કરતા સ્તંભો સમાન કદના છે પરંતુ કળિયુગનો સ્તંભ સૌથી ઊંચો છે. આ થાંભલાની ટોચ પર એક સમૂહ પણ નીચે લટકેલો છે. એવું કહેવાય છે કે આ શરીર દર 7 કરોડ વર્ષે એક ઇંચ વધે છે. આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે અને જે દિવસે કળિયુગના સ્તંભ અને શરીરનું મિલન થશે, તે જ ક્ષણે સંસારનો વિનાશ થશે.

પાતાલ ભુવનેશ્વર ગુફામાં ચાર ધામના દર્શન -

Photo of પાતાલ ભુવનેશ્વર ગુફા, જેમાં વિશ્વના અંતનું રહસ્ય છુપાયેલું છે. by Vasishth Jani

આ ગુફાની અંદર કેદારનાથ, બદ્રીનાથ અને અમરનાથ પણ જોઈ શકાય છે. બદ્રીનાથમાં બદરી પંચાયતની શિલાઓ છે. જેમાં યમ-કુબેર, વરુણ, લક્ષ્મી, ગણેશ અને ગરુડનો સમાવેશ થાય છે. ગુફામાં બનેલા ખડકમાં તક્ષક નાગનો આકાર પણ જોવા મળે છે. આ પંચાયતની ટોચ પર બાબા અમરનાથની ગુફા છે અને વિશાળ પથ્થરના તાળાઓ ફેલાયેલા છે. આ ગુફામાં કાલભૈરવની જીભ જોઈ શકાય છે. આ વિશે એવી માન્યતા છે કે જો કોઈ માણસ કાલભૈરવના મુખમાંથી ગર્ભમાં પ્રવેશ કરે છે અને તેની પૂંછડી સુધી પહોંચે છે, તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

જો તમે પાતાલ ભુવનેશ્વર ગુફામાં જાઓ છો, તો આ બધું જોવાનું ભૂલશો નહીં -

Photo of પાતાલ ભુવનેશ્વર ગુફા, જેમાં વિશ્વના અંતનું રહસ્ય છુપાયેલું છે. by Vasishth Jani

1. ગુફાની અંદર જવા માટે લોખંડની સાંકળોનો સહારો લેવો પડે છે.આ ગુફા પથ્થરોથી બનેલી છે, તેની દીવાલો સાથે પાણીનો સંપર્ક છે, જેના કારણે અહીં પહોંચવાનો રસ્તો ખૂબ જ સરળ છે. ગુફામાં શેષ નાગના આકારમાં એક પથ્થર છે, તે પૃથ્વીને પકડીને જોઈ શકાય છે.

2. રાંદવાર, પાપદ્વાર, ધર્મદ્વાર અને મોક્ષદ્વાર તરીકે ઓળખાતા ચારમાંથી કોઈપણ બે પ્રવેશદ્વારથી તમારો પ્રવેશ શરૂ કરો. રાંદવાર અને પાપદ્વાર એ પ્રવેશદ્વાર હતા જે રાક્ષસ રાજા રાવણના મૃત્યુ અને કુરુક્ષેત્ર યુદ્ધના અંતને કારણે બંધ થઈ ગયા હતા. પ્રસિદ્ધ મહાકાવ્ય મહાભારતમાં સંદર્ભો જોઈ શકાય છે.

3. આ તીર્થસ્થળની વિસ્મયજનક રચનાઓ અને અજાયબીઓ જોવા માટે યાત્રાળુઓની ભીડમાં જોડાઓ. સાક્ષી ભંડારી અથવા પૂજારી પરિવારો આદિ શંકરાચાર્યના સમયથી ઘણી પેઢીઓથી પ્રચલિત ધાર્મિક વિધિઓ કરે છે. તમે પૃથ્વીના કેન્દ્રમાં સ્વર્ગને જોવાથી એક પગલું દૂર છો.

4. ભૂગર્ભ મંદિરમાં શેષનાગ અને અન્ય પૌરાણિક દેવતાઓની પથ્થરની રચનાઓનું અવલોકન કરો જેમાં મંત્રમુગ્ધ વિશેષતાઓ અને આકારો છે.

5. અદ્ભુત અખાડાઓની અંદર, આધ્યાત્મિક જ્ઞાન માટે ધ્યાન કરો અને દૈવી આશીર્વાદનો અનુભવ કરો.

6. માનસખંડ, સ્કંદપુરાણના 800 શ્લોકોમાંના એકમાં પ્રસિદ્ધ શિલાલેખ જુઓ, 'જે વ્યક્તિ શાશ્વત શક્તિની હાજરી અનુભવવા માંગે છે તેણે રામગંગા, સરયુ અને ગુપ્તના સંગમ પાસે સ્થિત પવિત્ર ભુવનેશ્વરમાં આવવું જોઈએ- ગંગા.'

7. તમે થોડે નીચે જાઓ કે તરત જ પથ્થરો પર શેષનાગના હૂડ જેવી રચનાઓ દેખાય છે.એવું માનવામાં આવે છે કે પૃથ્વી તેના પર ટકી છે. ગુફાઓની અંદર જઈએ તો ગુફાની છત પરથી ગાયના આંચળનો આકાર દેખાય છે. આ આકાર કામધેનુ ગાયનું સ્તન છે એવું કહેવાય છે કે દેવતાઓના સમયમાં આ સ્તનમાંથી દૂધ વહેતું હતું. કળિયુગમાં હવે તેમાંથી દૂધને બદલે પાણી ટપકે છે.

Photo of પાતાલ ભુવનેશ્વર ગુફા, જેમાં વિશ્વના અંતનું રહસ્ય છુપાયેલું છે. by Vasishth Jani

8. આ ગુફાની અંદર, તમે તળાવની ટોચ પર બેઠેલી ગરદન સાથે ગૌર (હંસ) જોઈ શકો છો. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે આ તળાવ તેમના સાપોને પાણી પીવા માટે બનાવ્યું હતું. તેની સંભાળ ગરુડના હાથમાં હતી. પરંતુ જ્યારે ગરુડે આ તળાવમાંથી પાણી પીવાનો પ્રયત્ન કર્યો તો ભગવાન શિવે ગુસ્સામાં પોતાની ગરદન ઝુકાવી દીધી.

પાતાલ ભુવનેશ્વર ગુફાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય -

Photo of પાતાલ ભુવનેશ્વર ગુફા, જેમાં વિશ્વના અંતનું રહસ્ય છુપાયેલું છે. by Vasishth Jani

પાતાલ ભુવનેશ્વરમાં ઉનાળો ગરમ હોય છે અને તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. પરંતુ સાંજ સુંદર છે. આ ઋતુમાં સુતરાઉ કપડાં અથવા હળવા ઊની કપડાં સાથે રાખો. જો શિયાળા દરમિયાન મુસાફરી કરો છો, તો ઠંડા અને હળવા પવન સાથે હવામાન ખુશનુમા હોય છે. આ સિઝન માટે ભારે ઊની કપડાંની ભલામણ કરવામાં આવે છે. જો કે, ચોમાસા દરમિયાન (જુલાઈ-મધ્ય સપ્ટેમ્બર) સ્થળની મુલાકાત લેવાનું ટાળો કારણ કે આ વિસ્તાર ભારે ભૂસ્ખલન અને વરસાદની સંભાવના ધરાવે છે.

પાતાલ ભુવનેશ્વર ગુફા કેવી રીતે પહોંચવું -

સડક માર્ગે – પાતાલ ભુવનેશ્વર ગુફા મંદિર સરળતાથી રોડ માર્ગે પહોંચી શકાય છે. બસો સામાન્ય રીતે પિથોરાગઢ, લોહાઘાટ, ચંપાવત અને ટનકપુર સુધી ચાલે છે જ્યાંથી વ્યક્તિ ઇચ્છિત ગંતવ્ય સુધી પહોંચવા માટે ટેક્સી અથવા બસમાં સવારી કરી શકે છે.

રેલ માર્ગે - સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ટનકપુર રેલ્વે સ્ટેશન છે, જે પાતાલ ભુવનેશ્વરથી 154 કિમી દૂર છે.

હવાઈ ​​માર્ગે- સૌથી નજીકનું એરપોર્ટ પંતનગર એરપોર્ટ છે, જે પાતાલ ભુવનેશ્વરથી 224 કિમી દૂર છે.

Download Tripoto Android App

Wednesday, January 17, 2024

અયોધ્યામાં રામ મંદિરની વિશેષતાઓ

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠા પછી 24 જાન્યુઆરીથી મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે

ભારતના સદીઓ જૂના ઇતિહાસની જટિલ કોતરણીથી શણગારેલા રામ જન્મભૂમિ મંદિરની ભવ્યતાના દર્શન ભક્તો કરી શકશે. તે માત્ર એક ઇમારત નથી, પરંતુ સદીઓથી ભારતના હૃદયમાં વસેલા આસ્થા અને પરંપરાનો ખજાનો છે. આ લેખ પવિત્ર બાંધકામના સ્થાપત્યની અજાયબીઓ અને પ્રતીકાત્મક તત્વોને પ્રકાશિત કરે છે.

અયોધ્યામાં રામ મંદિરની વિશેષતાઓ

અમદાવાદના સોમપુરા પરિવાર દ્વારા 1988માં રામ મંદિર માટે મૂળ ડિઝાઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, વાસ્તુશાસ્ત્ર અને શિલ્પા શાસ્ત્રોના સંદર્ભમાં 2020 માં તેમાં કેટલાક ફેરફારો થયા હતા. સોમનાથ મંદિર સહિત ઓછામાં ઓછી 15 પેઢીઓથી વિશ્વભરમાં 100 થી વધુ મંદિરોની ડિઝાઇનમાં સોમપુરાઓએ ફાળો આપ્યો છે.

શ્રી રામ જન્મભૂમિ મંદિરની વિશેષતાઓ

-મંદિર પરંપરાગત નાગર શૈલીમાં છે.

-મંદિરની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે.

-મંદિર ત્રણ માળનું છે, જેમાં દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે.

શ્રી રામ જન્મભૂમિ મંદિરનું બાંધકામ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને મંદિરના નિર્માણનો તેનો અંદાજિત ખર્ચ ₹ 1,400 કરોડથી ₹ 1,800 કરોડ વચ્ચે રહેવાની ધારણા છે.

મુખ્ય મંદિર ઇન્ફ્રાસ્ટ્રક્ચર

અયોધ્યામાં રામ મંદિરને પરંપરાગત નગર સ્થાપત્ય શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે હિન્દુ મંદિર સ્થાપત્યની બે મુખ્ય શૈલીઓમાંની એક છે. મંદિરો ચોરસ અથવા લંબચોરસ સમતલ પર પથ્થર અથવા ઇંટથી બનાવવામાં આવે છે, જેમાં શિખર કેન્દ્રમાં સ્થિત હોય છે. આ સ્થાપત્ય શૈલીમાં મંદિર મુખ મંડપ નામના નાના મિનારાઓથી ઘેરાયેલું છે.

રામ મંદિરનો બિલ્ટ-અપ એરિયા આ પ્રમાણે છે

કુલ વિસ્તાર – 2.7 એકર

કુલ બિલ્ટ-અપ વિસ્તાર – 57,400 Sq.ft

મંદિરની કુલ લંબાઈ – 360 ફૂટ

મંદિરની કુલ પહોળાઈ – 235 ફૂટ

મંદિરની કુલ ઊંચાઈ (શિખર સહિત)- 161 ફૂટ

કુલ ફ્લોર -3

દરેક ફ્લોરની ઊંચાઈ – 20 ફૂટ

ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્તંભોની સંખ્યા – 160

પ્રથમ માળે સ્તંભોની સંખ્યા – 132

બીજા માળે સ્તંભોની સંખ્યા – 72

મંદિરમાં દરવાજાની સંખ્યા – 12

અયોધ્યામાં રામ મંદિરના વિવિધ ઝોન

ભગવાન રામ જન્મસ્થળનો પવિત્ર વિસ્તાર 70 એકર સુધી ફેલાયેલો છે. તેમાં પૌરાણિક મહત્વનાં વિવિધ અંશોનો સમાવેશ થાય છે. મુખ્ય મંદિરમાં નૃત્ય, રંગ, સભા, પ્રાર્થના અને કીર્તન પેવેલિયન તરીકે ઓળખાતા 5 મંડપનો સમાવેશ થાય છે. આ સિવાય, પવિત્ર પરિસરને આમાં વિભાજિત કરવામાં આવ્યું છે:

અયોધ્યામાં રામ મંદિરની રસપ્રદ વિશેષતાઓ

આ ત્રણ માળનું માળખું હશે, જેમાં દરેક ફ્લોરની ઊંચાઈ 20 ફૂટ હશે. આ મંદિરમાં કુલ 392 સ્તંભ અને 44 દરવાજા હશે. મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામનું બાળ સ્વરૂપ હશે, અને પ્રથમ માળે શ્રી રામ દરબાર જોવા મળશે. સિંહદ્વારથી 32 સીડી ચઢીને પૂર્વ દિશામાંથી મંદિરમાં પ્રવેશ થશે.

અયોધ્યાનું મુખ્ય મંદિર સૂર્ય દેવ, દેવી ભગવતી, ભગવાન ગણેશ અને ભગવાન શિવને સમર્પિત ચાર મંદિરોથી ઘેરાયેલું છે. પૌરાણિક કાળના સીતાકૂપ મંદિરની નજીક હાજર રહેશે. પરિસરમાં અન્ય પ્રસ્તાવિત મંદિરો મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિશાદરાજ, માતા શબરી અને ઋષિપટ્ટણી દેવી અહલ્યાને સમર્પિત કરવામાં આવશે.

Indian Express ગુજરાતી માંથી સાભાર..

Saturday, August 22, 2020

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ તમારા માટે ॥ Top Gujarati Blogs for You