Wednesday, July 3, 2013

આ રહી સદાય યુવાન અને સુખી રહેવાની આ ચમત્કારી નીતિઓ !

Ever Young And Happy To Have These Policies Miracle

આ રહી સદાય યુવાન અને સુખી રહેવાની આ ચમત્કારી નીતિઓ  !

એક બ્રહ્મચારીએ બતાવ્યું હતું કે ક્યારે કેટલું પાણી પીશો તો રહેશો જવાન

આપણા જીવન માટે પાણી અનમોલ છે અને તેના વગર જીવવાની કલ્પના પણ નથી કરી શકાતી. પાણીથી શરીરને ઊર્જા મળે છે અને ભોજન પચાવવામાં સહાયતા મળે છે.

આ વાતનું મહત્વ સમજતા સેકંડો વર્ષ પહેલા એક બ્રહ્મચારીએ બતાવ્યું હતું કે ક્યારે કેટલું પાણી પીવું જોઈએ. સેકંડો વર્ષ પહેલા ભારતમાં એક વિદ્વાન થયા હતા જે કુશળ રાજનીતિજ્ઞ, કુટનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી હતા અને તે હતા આચાર્ય ચાણક્ય. એવું માનવામાં આવે છે કે આચાર્ય ચાણક્યનો રંગ કાળો હતો. તેઓ આજીવન કુંવારા રહ્યા હતા. તેઓ દેખાવે સુંદર ન હતા પરંતુ બુદ્ધિના મામલામાં તેમનો કોઈ જ મુકાબલો ન કરી શકતો હતો.

આગળ વાંચો આચાર્ય ચાણક્ય અનુસાર પાણી સાથે જોડાયેલી ખાસ વાત જે તમને હંમેશા સ્વસ્થ રાખશે....

આચાર્ય ચાણક્યે બતાવ્યું છે કે ખોટા સમયે પાણી પીવાથી તે ઝેર સમાન કામ કરે છે. આથી આ બાબતે અહીં એક નીતી તેમને બતાવી છે.

આચર્ય ચાણક્ય કહે છે કે...

अजीर्णे भेषजं वारि जीर्णे वारि बलप्रदम्।

भोजने चाऽमृतं वारि भोजनान्ते विषप्रदम्।।

આ શ્લોકમાં આચાર્ય કહે છે કે ભોજન કરતી વખતે પાણી પીવા બાબતે ખાસ સાવધાની રાખવી જોઈએ. ભોજન આપણા શરીરને કામ કરવા માટે ઊર્જા પ્રદાન કરે છે. ભોજન જો યોગ્ય રીતે પચે નહીં તો પેટ સંબંધી રોગ થવાની શક્યતા રહે છે.

આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે ભોજન પછી પાણી ત્યાં સુધી ન પીવું જોઈએ જ્યાં સુધી તે પચી ન જાય. જો કોઈ વ્યક્તિ ભોજન પછી તરત જ પાણી પી લે તો તેના પાચનતંત્રને પચાવવામાં પરેશાની આવે છે. જો ભોજન સારી રીતે પચે નહીં તો શરીર યોગ્ય રીતે ઊર્જા પ્રાપ્ત નહીં કરી શકે.

ભોજન પછી તરત જ પાણી પીવાથી તે વિષ(ઝેર)ની સમાન કામ કરે છે, ભોજન પચવામાં અડચણ પેદા કરે છે. જો તમે ઈચ્છો તો ભોજનની વચ્ચે થોડું-થોડું પાણી પી શકો છો પરંતુ વધુ પાણી પીવું નુકસાનદાયી હોઈ શકે છે.

જ્યારે ભોજન પૂરી રીતે પચી જાય અને ત્યારબાદ ભોજન પીવામાં આવે તો તે અમૃતની સમાન કામ કરે છે. શરીરમાં ભરપૂર ઊર્જા પ્રાપ્ત થાય છે અને પેટ અને પાચનતંત્ર પણ સ્વચ્છ રહે છે. કબજિયાત, એસીડીટી, અપચો વગેરે પેટને લગતી સમસ્યાઓથી છુટકારો મળી જાય છે. જો આપણું પેટ યોગ્ય રીતે કામ કરશે તો તમને વિશ્વાસ નહીં બેસે કે તમે ક્યાં સુધી યુવાન બની રહી શકશો.

આગળ વાંચો નાની-નાની નીતિઓ જે શાસ્ત્રો અને વિદ્વાનો દ્વારા બતાવવામાં આવી છે....

 આ સંસારમાં પ્રેમ કરવા લાયક બે વસ્તુઓ છે- એક દુઃખ અને બીજુ છે શ્રમ. દુખ વગર હૃદય નિર્મળ નથી થતું અને શ્રમ વગર મનુષ્ય તત્વનો વિકાસ નથી થતો.- આચાર્ય શ્રીરામ શર્મા.

‘શિ’નો અર્થ છે પાપોનો નાશ કરનાર અને ‘વ’નો અર્થ હોય છે મુક્તિ આપનારો. ભોલેનાથમાં આ બંને ગુણ છે એટલે તેઓ શિવ કહેવાયા છે- બ્રહ્મવૈવર્ત પુરાણ.

ચંદ્ર, હિમાલય પર્વત કેળાનું ઝાડ અને ચંદન શીતળ માનવામાં આવે છે, અને આમાંથી એટલુ શીતલ કંઈ જ નથી જેટલુ મનુષ્યનું તૃષ્ણા રહિત ચિત.-વિશિષ્ઠ.

ચાપલૂસીનો ઝેરીલો પ્યાલો ત્યાંથી કંઈ જ નુકસાન નથી પહોંચાડી નથી શકતો જ્યાં સુધી તમારા કામ તેને અમૃત સમજીને પીવામાં ન આવે- પ્રેમચંદ



દુનિયાનું અસ્તિત્વ શસ્ત્રબળ ઉપર નહીં, સત્ય, દયા અને આત્મબળ ઉપર છે- મહાત્મા ગાંધી.

સંપદાને જોડી-તોડીને રાખનારાઓ શું જાણે કે દાનમાં કેટલી મીઠાશ છે- આચાર્ય શ્રીરામ શર્મા.

માનવીનું માનવી હોવું જ તેની સૌથી મોટી જીત છે, દાનવ હોવું હાર છે અને મહામાનવ હોવું ચમત્કાર છે- ડો. રાધાકૃષ્ણન.

વૃક્ષ પોતાની ઉપર ગરમી સહન કરે છે અને પોતાની છાયમાં બીજાનો તાપ દૂર કરે છે- તુલસીદાસ.

મહાન વ્યક્તિ મહત્વાકાંક્ષાના પ્રેમથી ખૂબ વધુ આકર્ષિત થાય છે- પ્રેમચંદ.

પ્રલય થાય ત્યારે સમુદ્ર પણ પોતાની મર્યાદાને છોડી દે છે પરંતુ સજ્જન લોકો મહાવિપત્તિમાં પણ મર્યાદાઓ નથી છોડતા- ચાણક્ય.
આ રહી સદાય યુવાન અને સુખી રહેવાની આ ચમત્કારી નીતિઓ !

એક બ્રહ્મચારીએ બતાવ્યું હતું કે ક્યારે કેટલું પાણી પીશો તો રહેશો જવાન

આપણા જીવન માટે પાણી અનમોલ છે અને તેના વગર જીવવાની કલ્પના પણ નથી કરી શકાતી. પાણીથી શરીરને ઊર્જા મળે છે અને ભોજન પચાવવામાં સહાયતા મળે છે.

આ વાતનું મહત્વ સમજતા સેકંડો વર્ષ પહેલા એક બ્રહ્મચારીએ બતાવ્યું હતું કે ક્યારે કેટલું પાણી પીવું જોઈએ. સેકંડો વર્ષ પહેલા ભારતમાં એક વિદ્વાન થયા હતા જે કુશળ રાજનીતિજ્ઞ, કુટનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી હતા અને તે હતા આચાર્ય ચાણક્ય. એવું માનવામાં આવે છે કે આચાર્ય ચાણક્યનો રંગ કાળો હતો. તેઓ આજીવન કુંવારા રહ્યા હતા. તેઓ દેખાવે સુંદર ન હતા પરંતુ બુદ્ધિના મામલામાં તેમનો કોઈ જ મુકાબલો ન કરી શકતો હતો.

આગળ વાંચો આચાર્ય ચાણક્ય અનુસાર પાણી સાથે જોડાયેલી ખાસ વાત જે તમને હંમેશા સ્વસ્થ રાખશે....

આચાર્ય ચાણક્યે બતાવ્યું છે કે ખોટા સમયે પાણી પીવાથી તે ઝેર સમાન કામ કરે છે. આથી આ બાબતે અહીં એક નીતી તેમને બતાવી છે.

આચર્ય ચાણક્ય કહે છે કે...

अजीर्णे भेषजं वारि जीर्णे वारि बलप्रदम्।

भोजने चाऽमृतं वारि भोजनान्ते विषप्रदम्।।

આ શ્લોકમાં આચાર્ય કહે છે કે ભોજન કરતી વખતે પાણી પીવા બાબતે ખાસ સાવધાની રાખવી જોઈએ. ભોજન આપણા શરીરને કામ કરવા માટે ઊર્જા પ્રદાન કરે છે. ભોજન જો યોગ્ય રીતે પચે નહીં તો પેટ સંબંધી રોગ થવાની શક્યતા રહે છે.

આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે ભોજન પછી પાણી ત્યાં સુધી ન પીવું જોઈએ જ્યાં સુધી તે પચી ન જાય. જો કોઈ વ્યક્તિ ભોજન પછી તરત જ પાણી પી લે તો તેના પાચનતંત્રને પચાવવામાં પરેશાની આવે છે. જો ભોજન સારી રીતે પચે નહીં તો શરીર યોગ્ય રીતે ઊર્જા પ્રાપ્ત નહીં કરી શકે.

ભોજન પછી તરત જ પાણી પીવાથી તે વિષ(ઝેર)ની સમાન કામ કરે છે, ભોજન પચવામાં અડચણ પેદા કરે છે. જો તમે ઈચ્છો તો ભોજનની વચ્ચે થોડું-થોડું પાણી પી શકો છો પરંતુ વધુ પાણી પીવું નુકસાનદાયી હોઈ શકે છે.

જ્યારે ભોજન પૂરી રીતે પચી જાય અને ત્યારબાદ ભોજન પીવામાં આવે તો તે અમૃતની સમાન કામ કરે છે. શરીરમાં ભરપૂર ઊર્જા પ્રાપ્ત થાય છે અને પેટ અને પાચનતંત્ર પણ સ્વચ્છ રહે છે. કબજિયાત, એસીડીટી, અપચો વગેરે પેટને લગતી સમસ્યાઓથી છુટકારો મળી જાય છે. જો આપણું પેટ યોગ્ય રીતે કામ કરશે તો તમને વિશ્વાસ નહીં બેસે કે તમે ક્યાં સુધી યુવાન બની રહી શકશો.

આગળ વાંચો નાની-નાની નીતિઓ જે શાસ્ત્રો અને વિદ્વાનો દ્વારા બતાવવામાં આવી છે....

આ સંસારમાં પ્રેમ કરવા લાયક બે વસ્તુઓ છે- એક દુઃખ અને બીજુ છે શ્રમ. દુખ વગર હૃદય નિર્મળ નથી થતું અને શ્રમ વગર મનુષ્ય તત્વનો વિકાસ નથી થતો.- આચાર્ય શ્રીરામ શર્મા.

‘શિ’નો અર્થ છે પાપોનો નાશ કરનાર અને ‘વ’નો અર્થ હોય છે મુક્તિ આપનારો. ભોલેનાથમાં આ બંને ગુણ છે એટલે તેઓ શિવ કહેવાયા છે- બ્રહ્મવૈવર્ત પુરાણ.

ચંદ્ર, હિમાલય પર્વત કેળાનું ઝાડ અને ચંદન શીતળ માનવામાં આવે છે, અને આમાંથી એટલુ શીતલ કંઈ જ નથી જેટલુ મનુષ્યનું તૃષ્ણા રહિત ચિત.-વિશિષ્ઠ.

ચાપલૂસીનો ઝેરીલો પ્યાલો ત્યાંથી કંઈ જ નુકસાન નથી પહોંચાડી નથી શકતો જ્યાં સુધી તમારા કામ તેને અમૃત સમજીને પીવામાં ન આવે- પ્રેમચંદ

દુનિયાનું અસ્તિત્વ શસ્ત્રબળ ઉપર નહીં, સત્ય, દયા અને આત્મબળ ઉપર છે- મહાત્મા ગાંધી.

સંપદાને જોડી-તોડીને રાખનારાઓ શું જાણે કે દાનમાં કેટલી મીઠાશ છે- આચાર્ય શ્રીરામ શર્મા.

માનવીનું માનવી હોવું જ તેની સૌથી મોટી જીત છે, દાનવ હોવું હાર છે અને મહામાનવ હોવું ચમત્કાર છે- ડો. રાધાકૃષ્ણન.

વૃક્ષ પોતાની ઉપર ગરમી સહન કરે છે અને પોતાની છાયમાં બીજાનો તાપ દૂર કરે છે- તુલસીદાસ.

મહાન વ્યક્તિ મહત્વાકાંક્ષાના પ્રેમથી ખૂબ વધુ આકર્ષિત થાય છે- પ્રેમચંદ.

પ્રલય થાય ત્યારે સમુદ્ર પણ પોતાની મર્યાદાને છોડી દે છે પરંતુ સજ્જન લોકો મહાવિપત્તિમાં પણ મર્યાદાઓ નથી છોડતા- ચાણક્ય.