ગ્રામિણ વિસ્તારોમાં રોકડની સમસ્યા દુર કરવા સહકારી બેંકોને વધુ રોકડ અપાશે :
૨૧૦૦૦ કરોડ આપવા એલાન :
ફોનથી ટ્રાન્જેકશન ઉપર પણ સર્વિસ ચાર્જ નહિ લાગે :
Rupay કાર્ડ પર સ્વિચિંગ ચાર્જ સમાપ્ત :
નાણાકીય બાબતોના સચિવ શકિતકાંત દાસની જાહેરાત
૨૧૦૦૦ કરોડ આપવા એલાન :
ફોનથી ટ્રાન્જેકશન ઉપર પણ સર્વિસ ચાર્જ નહિ લાગે :
Rupay કાર્ડ પર સ્વિચિંગ ચાર્જ સમાપ્ત :
નાણાકીય બાબતોના સચિવ શકિતકાંત દાસની જાહેરાત
નાણા સચિવ શકિતકાંત દાસે નોટબંદીને પગલે ઓનલાઇન ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહિત કરવા માટે કેટલીક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ડેબિટ કાર્ડના ઉપયોગ પર સર્વિસ ટેકસ નહીં લાગે. સરકાર તેને હટાવી રહી છે. ઇ વોલેટની લિમિટ પણ ડબલ કરી દેવામાં આવી છે. દાસે જણાવ્યું છે કે ઇ વોલેટ પરથી પણ સરકાર સ્વિચિંગ ચાર્જ હટાવી ચૂકી છે. ૩૧ ડિસેમ્બર સુધી ઓનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગ પર પણ સર્વિસ ચાર્જ હટાવવામાં આવ્યો છે.
દાસે જણાવ્યું છે કે ખેડૂતો સુધી ફંડ પહોંચાડવા માટે નાબાર્ડ જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકોને ૨૧ હજાર કરોડ પિયા આપવામાં આવ્યાં છે. નાબાર્ડ દ્વારા ખેડૂતોને પૈસા આપવામાં આવશે. દાસે જણાવ્યું છે કે સાર્વજનિક ક્ષેત્રોમાં બેંક અને કેટલીક ખાનગી બેંકો ૩૧ ડિસેમ્બર સુધી ડેબિટ કાર્ડના ઉપયોગ પર સર્વિસ ટેકસ નહીં વસૂલે. ફિચર ફોન દ્વારા કરવામાં આવતી લેવડ દેવડ પર ૩૧ ડિસેમ્બર સુધી સર્વિસ ટેકસ વસુલવામાં નહીં આવે.
નાણા સચિવે જણાવ્યું છે કે તમામ સરકારી સંગઠનો, સાર્વજવિત ઉપક્રમો અને સરકારી એજન્સીઓને સલાહ આપવામાં આવી છે કે વેતન અને અન્ય ખર્ચાઓ માટે ડિજિટલ મનીનો ઉપયોગ કરે. રિઝર્વ બેંકે કેશ વોલેટની લીમિટ વધારી ૨૦ હજાર કરી દીધી છે.
નોટબંધીને કારણે રવિ પાકોની ખેતીમાં પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે અનેક મહત્વના નિર્ણય લીધા છે. બુધવારે આર્થિક બાબતોના સચિવ શકિતકાંત દાસે ખેડૂતો માટે રાહતજનક જાહેરાત કરી છે. એક પ્રેસ કોન્ફરન્સમાં દાસે જણાવ્યું કે, સરકારે ખેડૂતોને ફંડ આપવા માટે આ નિર્ણયો લીધા છે.
અકિલા ન્યુઝ માંથી સાભાર..