Wednesday, March 18, 2020

કોરોના વાઇરસથી પોતાને કેવીરીતે બચાવવા ?

કોરોના વાઇરસનો ચેપ ભારત સહિત 146 દેશોમાં ફેલાઈ ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ તેને મહામારી ઘોષિત કરી છે.

કોરોના વાઇરસથી પોતાને કેવીરીતે બચાવવા ?

વારંવાર હાથ ધોવા એજ સૌથી સારો ઉપાય છે.
સાબુ અને પાણી વડે નિયમિત અને વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ.
કોરોના વાઇરસનું સંક્રમણ ત્યારે ફેલાય છે જ્યારે વાઇરસથી સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અને હવામાં વાઇરસ ધરાવતા નાના ટીપા તરે છે.
જો આસપાસ રહેલી વ્યક્તિના શ્વાસમાં આ ટીપા પ્રવેશ કરે, અથવા એ જગ્યાને અડે જ્યાં એ નાના ટીપા પડ્યા હોય અથવા એ ટીપા તમારી આંખ, નાક અથવા મોઢાંના સંપર્કમાં આવે.
ઉધરસ છીંક આવે ત્યારે ટિશ્યૂ પેપર કે રૂમાલ આડો રાખવો.
ગંદા હાથે ચહેરાને ન અડવું. સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવાથી કોરોના વાઇરસના સંક્રમણને સીમિત કરી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ ઘટે તેવા સંજોગોમાં આ રોગ ઝડપથી લાભ થાય છે જેને ધ્યાનમાં લઇને નીચે મુજબની કાળજી રાખવી.ભૂખ્યા પેટે બહાર નીકળવું નહીં,પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું,નિયમિત યોગ વ્યાયામ કરવો,પૂરતો આરામ લેવો, પૌષ્ટિક આહાર લેવો, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન વગેરે હોય તેઓએ શક્ય હોય ત્યાં સુધી હોમ કોરેન્ટાઇન રહેવું,લોકોના સંપર્કમાં આવવું નહીં