Sunday, April 7, 2024

કેટલીક પ્રેરણાત્મક કોર્પોરેટ કથાઓ

આ બે કોર્પોરેટ કથાઓ સદાય યાદ રહેશે.

૧. Yahoo એ Google ને નકારી હતી.

૨. Nokia એ Android ને જાકારો આપ્યો હતો.

ઉપસંહાર :

- તમારી જાતને સમય સાથે અપડેટ કરતા રહો, નહિતર એક દિવસ તમે બિન જરૂરી બની રહેશો અને ફેંકાઈ જશો.

- જોખમ ના લેવું એ સૌથી મોટું જોખમ છે. સાહસી બનો અને નવી નવી ટેકનોલોજી સ્વીકારતા રહો.



બીજી બે કોર્પોરેટ કથાઓ પણ યાદ રાખો :

૧. Google એ You Tube અને Android ને હસ્તગત કરી લીધાં.

૨. Facebook એ Instagram અને WhatsApp હસ્તગત કરી લીધાં.

ઉપસંહાર :

- એટલાં શક્તિશાળી બનો કે તમારાં શત્રુ કે પ્રતિસ્પર્ધીને તમારાં દોસ્ત બની જવાની ફરજ પડે.

- ઝડપથી વૃદ્ધિ સાધો, મોટાં બની જાઓ અને સ્પર્ધા દૂર કરી દો.



આ બે મહાન હસ્તીઓનાં ભૂતકાળની કથા વાંચો :

૧. બરાક ઓબામા એક સમયે આઇસક્રીમ વેચવાનું કામ કરતા હતા.

૨. એલન મસ્ક લાકડાની વખારનો કક્ષ સાફ કરવાનું કામ કરતા હતા.

ઉપસંહાર :

- કોઈનું તેના ભૂતકાળના કામ ને આધારે આકલન ના કરો.

- તમારો વર્તમાન તમારું ભવિષ્ય નક્કી કરતો નથી, તમારી મહેનત અને હિંમત એનું નિર્માણ કરે છે.



આ બે વાતો જાણો છો? :

૧. કર્નલ સેન્ડર્સ પાંસઠ વર્ષની ઉંમરે KFC નું સર્જન કરે છે.

૨. જેક મા KFC દ્વારા અસ્વીકૃતી પામી Alibaba નું સર્જન કરે છે.

ઉપસંહાર :

- ઉંમર માત્ર એક આંકડો છે. તમે ગમે તે ઉંમરે સફળતા પામી શકો છો.

- જીવનમાં ક્યારેય હિંમત હારશો નહીં, જે ક્યારેય હિંમત હારતાં નથી, તે અંતે જીતે જ છે.



આ પણ વાંચો અને તેમાંથી બોધપાઠ લો :

૧. Ferrari નાં માલિકે એક ટ્રેક્ટર બનાવનારનું અપમાન કર્યું હતું.

૨. એ જ ટ્રેક્ટર બનાવનારે Lamborgini નું સર્જન કર્યું.

ઉપસંહાર :

- ક્યારેય કોઈને નાના ગણશો નહીં કે કોઈનું અપમાન કરશો નહીં.

- સફળતા એ બદલો લેવાની શ્રેષ્ઠ રીત છે.



આ બધી કથાઓ પરથી શીખવા મળે છે કે :

- તમે કોઈ પણ કામ કરતાં હોવ કે કોઈ પણ ઉંમર ના હોવ; ખંત, ધગશ અને મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી શકો છો.

- મોટાં સ્વપ્નો જુઓ. ધ્યેય નિર્ધારીત કરો. અથાગ મહેનત કરો.

- જીવનમાં ક્યારેય હિંમત હારશો નહીં. સદાય એવી શ્રદ્ધા રાખો કે આવતી કાલ બહેતર હશે.

(ઈન્ટરનેટ પરથી)

આશા, ઉત્સાહ અને હકારાત્મકતાનો સંચાર

એક રાજા પાસે ઘણાં હાથી હતાં. પણ આ બધાં માંથી રાજાને એક હાથી વિશેષ પ્રિય હતો કારણ તે ઘણો શકિતશાળી, આજ્ઞાકારી, સૂઝબૂઝ ધરાવતો અને કૌશલ્યધારી હતો - ખાસ કરીને યુદ્ધમાં લડવામાં.

ઘણાં યુદ્ધમાં તેને સમરાંગણમાં મોકલવામાં આવતો અને તે યશસ્વી થઈ પાછો ફરતો. આમ રાજાને ઘણી વાર વીજયી બનાવવાને કારણે તે રાજાને ખૂબ પ્રિય હતો.

સમય તો વહેતો જ રહે છે. તેના વહેણમાં એક સમય એવો આવ્યો જ્યારે આ હાથી વૃદ્ધ થઈ ગયો. હવે તેનું બળ ઓછું થયું હતું. આથી રાજાએ તેને લડાઈના મેદાનમાં મોકલવાનું બંધ કર્યું. છતાં તે રાજાના કાફલાનો તો ભાગ હતો જ.

એક દિવસ આ હાથી પાણી પીવા તળાવે ગયો. પણ તેનો પગ ત્યાં કાદવમાં ખૂંપી ગયો અને તે ડૂબવા લાગ્યો. તેણે બચવા માટે ખૂબ ફાંફા માર્યા પણ એમાં તે ફાવ્યો નહીં.

તેની બૂમો સાંભળી લોકો ત્યાં ભેળાં થયાં અને સૌ એ જોયું કે હાથી મુશ્કેલીમાં ફસાયો છે. રાજા સુધી આ ખબર પહોંચી ગઈ.

રાજા પોતાના ખાસ માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને બધાં એ હાથીને બચાવવાના પ્રયત્નો કરવા માંડ્યા. પણ ઘણાં સમય સુધી મહેનત કરવા છતાં કોઈ હાથીને કાદવમાંથી બહાર કાઢી શક્યું નહીં.

એ સમયે ગૌતમ બુદ્ધ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે આ દ્રશ્ય જોયું. તેમણે રાજાને હાથીને બચાવવા તળાવ પાસે યુદ્ધમાં વગાડાતાં નગારા વગાડાવવાનું સૂચન કર્યું.

સાંભળનારાઓ સૌ આવું વિચિત્ર સૂચન સાંભળી ચોંકી ઉઠયા. યુદ્ધમાં વગાડાતાં નગારા વગાડી કઈ રીતે કાદવમાં ફસાયેલા હાથીને બહાર કાઢી શકાય એ તેમની સમજની બહાર હતું. પણ તેમનામાં ગૌતમ બુદ્ધના સૂચન સામો પ્રશ્ન કે સંદેહ કરવાની હિંમત નહોતી. તરત તળાવ પાસે નગારા મંગાવવામાં આવ્યા અને તેમને વગાડવાનું શરૂ થયું.

જેવો હાથીએ યુદ્ધમાં વગાડાતાં નગારાંનો ધ્વનિ સાંભળ્યો કે તરત તેના હાવભાવ, વર્તન અને નિર્ધારમાં દેખીતું પરિવર્તન જોવા મળ્યું.

પહેલાં હાથી ધીરે ધીરે પોતાના પગ પર જ ઉભો થયો અને પછી તેણે પોતાના બળ અને બુદ્ધિનો ઉપયોગ કર્યો અને થોડી જ વારમાં તે પોતાની મેળે કાદવમાંથી બહાર આવી ગયો. સૌ કોઈ આ જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં.

ગૌતમ બુદ્ધે સસ્મિત કહ્યું, "હાથીમાં બળની કમી નહોતી પણ તેનામાં ઉત્સાહ, પ્રેરણા અને અંતર થી જીતવાની ઈચ્છા ફૂંકવાની જરૂર હતી. જીવનમાં ઉત્સાહ જાળવી રાખવા મનુષ્યે પણ અર્થપૂર્ણ વિચારધારા અપનાવવાની જરૂર છે અને નિરાશાને પોતાના પર હાવી થવા દેવાની નથી."

  આજે સમય થોડો કઠણ છે, તેવામાં આપણે સૌ એ પોતાનામાં તેમજ આપણી આસપાસનાં લોકોમાં આશા અને ઉત્સાહનો સંચાર કરતા રહેવાનો છે, પેલાં હાથીને મુશ્કેલીમાંથી બહાર કાઢનાર યુદ્ધનગારાં જેવાં વાદ્ય વગાડી. તેના હકારાત્મક ધ્વનિ દ્વારા આનંદની છોળો ઉડાડવાની છે અને તંદુરસ્તી અને સુખ છલકાવવાના છે.

યાદ રાખો : આ સમય પણ પસાર થઈ જશે. સુખ ફેલાવો... આનંદ પ્રસરાવો...


(ઈન્ટરનેટ પરથી)