તમારો તમારો મહામૂલો સંબંધ તૂટવાની અણીએ છે, પરંતુ તમે તેના વિશે સહેજ પણ ગંભીર નથી. તમારા સગાં-વહાલાં કે પાર્ટનર એકદમ બદલાઇ ગયાં છે એવું તમને લાગતું હોય કે પછી તેણે તમને યોગ્ય પ્રતિભાવ આપવાનું બંધ કરી દીધું છે. આવા સંજોગોમાં સમયસર સાવચેત થઇ જવાની જરૂર છે. તમને કોઇની સાથે પ્રેમ થઇ જાય ત્યારે કંઇક વિશેષ લાગણી અનુભવાય છે. જોકે તમે જેવું અનુભવો છો એવું જ સામેનું પાત્ર અનુભવે એવું જરૂરી નથી. તમે કોઇને પ્રેમ કરતાં હો ત્યારે ઘણી વાર પરસ્પર નાનીમોટી તકરાર થાય અને અબોલાની પરિસ્થિતિ ઉદ્ભવે એવું બને છે.
મોટા ભાગના લોકો આવા ઇમોશનલ ઇશ્યુ તરફ આંખ આડા કાન કરતાં હોય છે. વિચારે છે કે વખત જતાં બધું આપોઆપ થાળે પડી જશે પરંતુ ખરેખર આવું બનતું નથી. હકીકત એ છે કે તમે તમારા વાંધા-વચકા મુક્ત મને વ્યક્ત કરીને સંબંધમાં પડેલી ગૂંચ સહેલાઇથી અને સમયસર ઉકેલો તો સંબંધો લાંબા સમય સુધી ટકી રહે છે. એટલા માટે નાની લાગતી સમસ્યાઓ તરફ પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે.
સંબંધ તૂટવાના કારણો
સમય નથી
છેલ્લે તમે ક્યારે તમારા મિત્રો, બહેનપણીઓ, કુટુંબીજનો કે વહાલા સાથીદાર સાથે ફિલ્મ જોવા અથવા તો બહાર ગયા હતા? ઘણું યાદ કરવા છતાં યાદ ન આવ્યું ને? તમને જ્યારે પણ તમારી બહેનપણીઓ, કઝિન્સ, બોયફ્રેન્ડ કે પરિવારજનો બહાર સાથે ફરવા જવા માટે કહે છે ત્યારે તમારા તરફથી તેમને શું જવાબ મળે છે? એ જ કે તમે બિઝી છો. કામ છોડીને ફરવા નહીં અવાય. આના પરથી સ્પષ્ટ થાય છે કે તમને સગા-વહાલા કે સાથીદાર કરતાં ઓફિસ અને કામ વધારે વહાલાં છે. આજના જમાનામાં સમય કોઇને મળતો નથી. પ્રિય વ્યક્તિ, શોખ માટે સમય કાઢવો પડતો હોય છે માટે ‘ટાઇમ નથી’ એવું ક્યારેય ન કહેવું જોઇએ.
બહાનાંબાજી કરવી
જ્યારે તમને પાર્ટનર કે અન્ય કોઇ પાર્ટીમાં સાથે આવવા માટે આગ્રહ કરે ત્યારે તમે ‘આજે હું ઓફિસમાં બિઝી છું’ અથવા તો ‘મારી તબિયત સારી નથી’, ‘આજે મારો મૂડ ખરાબ છે’ વગેરે બહાનાં બતાવો છો. આના પરથી સ્પષ્ટ થાય છે કે તમને તેમની સાથે જવામાં રસ નથી.
મિત્રો ઇગ્નોર કરે ત્યારે
તમારા મિત્રોને એવું લાગવા માંડે કે તમારા સંબંધોમાં ક્યાંક લૂણો લાગ્યો છે અને તે આ અંગે પેટછુટી વાત કરવા તૈયાર ન હોય અથવા તો કોઇ કારણસર મૂંઝાતાં-અકળાતાં હોય, અંગત વાત તમારી સાથે ‘શેર’ ન કરતા હોય ત્યારે એનો અર્થ કે તમારા સંબંધોની ગાડી પર ‘બ્રેક’ લાગી છે.
લાગણી અને પ્રેમ આડા હાથે મૂકાઇ જાય
તમારા નિકટના સ્વજનો, પ્રિયજનો તમારો જન્મદિવસ કે લગ્નતિથિ ભૂલી જાય ત્યારે માની લેવું કે સંબંધની નદી સૂકાઇ રહી છે. આવું થાય ત્યારે મોડું થાય એ પહેલાં સમયસર જાગી જવું જોઇએ. તમારે તમારા સ્વજનોને મુક્ત મને વાંધાવચકા વિશે પૂછવું જોઇએ. તમને જ્યારે એવું લાગે કે તમારા સ્વજનો તમારા પ્રત્યે પૂરતું ધ્યાન નથી આપતા કે તેમને તમારામાંથી રસ ઊડી ગયો છે ત્યારે તમારી લાગણી અને પ્રેમ ક્યાંક આડા હાથે મુકાઇ ગયા છે એ બાબત છતી થાય છે.
તમે બદલાઇ ગયા છો
તમારા સ્વજનો, સગાં-સંબંધીઓ કે મિત્રો જ્યારે એમ કહે કે ‘તું સાવ બદલાઇ ગઇ/ગયો છો. પહેલાં તું આવી નહોતી.’ ત્યારે તમારે સમજી જવું જોઇએ કે તમારા સ્વજનો તમારા વર્તન-વ્યવહારથી ખુશ નથી. તમારા સોના જેવા સંબંધમાં પરિવર્તન આવ્યાનું અનુભવાય ત્યારે આત્મનિરીક્ષણ, મનોમંથન કરવાનો સમય પાકી ગયો છે એવું જાણી લેવું.
ગંભીરતા ન દાખવો
તમારા બોયફ્રેન્ડ કે સ્વજનો તમારી સાથે વાત કરવા માગતાં હોય અને તમે એમની વાતને સતત ટાળ્યા કરો, ઉડાઉ જવાબ આપો અથવા વાત જ ન કરો ત્યારે તમે સંબંધ પ્રત્યે ગંભીર નથી એવું સાબિત થાય છે. તમારા બોયફ્રેન્ડને સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય ત્યારે તમારે એ પરિસ્થિતિને ટાળવાની નહીં, પરંતુ આ પરિસ્થિતિને સમજદારીથી સંભાળી લેવાની જરૂર છે.
હવે પછી તમારા મિત્રો કે આત્મીયજન જ્યારે તમને કંઇ કહેવા ઇચ્છે ત્યારે તેમની વાત પ્રત્યે ધ્યાન આપશો, તો તમારા સંબંધોની ગાડી પર ‘બ્રેક’ નહીં લાગે એટલું ચોક્કસ.
સંબંધ હૂંફાળા રહે તે માટે આટલું ધ્યાનમાં રાખો
- પરિવાર, મિત્રો કે આત્મીયજનો સાથે થોડા થોડા સમયે બહાર ફરવા જાવ. તેમના માટે સમય ફાળવો, તેમની વાત સાંભળો.
- સમય તો આજના જમાનામાં કોઇને મળતો નથી, તે તમારે ફાળવવાનો હોય છે. આથી ‘સમય નથી’નું બહાનું ક્યારેય ન બતાવો.
- મિત્રો કે પરિવારજનો તમને ઇગ્નોર કરી રહ્યાં છે એવું લાગે ત્યારે આત્મનિરીક્ષણ કરો કે તમારાથી ક્યાંક એમને મનદુ:ખ નથી થયું ને?
- પ્રિયજન, મિત્રો કે પરિવારના લોકોની વાત ધ્યાનથી સાંભળો. તેમને તમારા મનની વાત કહો અને તેમની કોઇ સમસ્યા હોય તો ઉકેલ લાવવામાં મદદરૂપ થાવ.
- તમને જ્યારે એવું સાંભળવા મળે કે ‘તમે બદલાઇ ગયાં છો, પહેલાં જેવા નથી રહ્યાં.’ ત્યારે ચેતી જાવ. તમારા વર્તનમાં પરિવર્તન લાવીને સંબંધોમાં પહેલાં જેવી હૂંફ પાછી લાવો.
Thursday, June 30, 2011
Thursday, June 23, 2011
જીવન સાચી અને સારી રીતે જીવવાની ૨૯ જડીબુટ્ટી...
૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!
૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-૩૦ મિનિટ માટે એકાંતમાં બેસો.
૩. દરરોજ ૭ કલાક ઊંધો.
૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.
૫. નવી રમતો શિખો/રમો.
૬. ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .
૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.
૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.
૯. જાગતાં સપનાં જુઓ.
૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
૧૧. પુષ્કળ પાણી પીઓ .
૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.
૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.
૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!
૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.
૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.
૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.
૧૯. દરેકને બિનશરતી માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્
૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.
૨૧. ભગવાન સૌનું ભલું કરશે.
૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.
૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.
૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.
૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને,મિત્રોને પણ જણાવો.
૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-૩૦ મિનિટ માટે એકાંતમાં બેસો.
૩. દરરોજ ૭ કલાક ઊંધો.
૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.
૫. નવી રમતો શિખો/રમો.
૬. ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .
૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.
૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.
૯. જાગતાં સપનાં જુઓ.
૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
૧૧. પુષ્કળ પાણી પીઓ .
૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.
૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.
૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!
૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.
૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.
૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.
૧૯. દરેકને બિનશરતી માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્
૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.
૨૧. ભગવાન સૌનું ભલું કરશે.
૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.
૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.
૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.
૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને,મિત્રોને પણ જણાવો.
એક સારા મિત્ર હોવાના ૧૫ ફાયદા......
*જ્યારે તમારું રડવાનું બંધ ન થતું હોય ત્યારે સારો મિત્ર 'ટીશ્યુ'તરીકે ની ગરજ સારે છે, *જ્યારે તમને જીવન ત્યજી દેવાનું મન થતું હોય ત્યારે સાચો મિત્ર ખભો બની રહે છે
*તમારે જ્યારે કંઈક કહેવું હોય ત્યારે એક સારો મિત્ર હંમેશા તે સાંભળવા તત્પર છે
*જ્યારે તમને એક દિવસની જરૂર હોય ત્યારે સારો મિત્ર અઠવાડિયું(હાજર) હોય છે
*જ્યારે તમારું હદય ભગ્ન થાય ત્યારે સારો મિત્ર સાચો આધાર બની રહે છે
*જ્યારે બધું છિન્ન્ન ભિન્ન્ન થઈ રહ્યું હોય ત્યારે સારો મિત્ર ગુંદર બની જાય છે
*જ્યારે વર્ષા બંધ જ ન થાય ત્યારે સારો મિત્ર સૂર્ય બની રહે છે
*જ્યારે તમારો ભેરો પોલીસ સાથે થઈ ત્યારે સારો મિત્ર તમારો મમ્મી કે વાલીની ફરજ બજાવે છે
*જ્યારે તમે તમારા ધેરથી બહાર નીકળવવા સમર્થ ન હોય ત્યારે તમારો મિત્ર 'ફોન કોલ' બની રહે છે
*જ્યારે તમે સાવ એકલું અનુભવતા હોય ત્યારે સારો મિત્ર તમારો સહારો બની રહે છે
*તમને ઉડવાની ઈરછા થાય ત્યારે સારો મિત્ર પાંખ બની રહે છે
*કારણ જાણ્યા વગર પણ સારો મિત્ર તમનેબરાબર સમજી શકે છે. કે તમે જે કંઈ કહેવા ઈરછ્તા હોય તે સમજી જાય છે
*સારો મિત્ર તમારા રહસ્ય ને સાંભળી અને જાળવી રાખે છે
*જ્યારે તમે માંદા પડ્યા હોય ત્યારે સારો મિત્ર તમારી દવા બની રહે છે
*સારો મિત્ર સાચો પ્રેમ છે જે ક્યારેય તમારું ખરાબ થવા દેતો નથી કે તમારા વિષે ખરાબ ઈરછ્તો નથી
*તમારે જ્યારે કંઈક કહેવું હોય ત્યારે એક સારો મિત્ર હંમેશા તે સાંભળવા તત્પર છે
*જ્યારે તમને એક દિવસની જરૂર હોય ત્યારે સારો મિત્ર અઠવાડિયું(હાજર) હોય છે
*જ્યારે તમારું હદય ભગ્ન થાય ત્યારે સારો મિત્ર સાચો આધાર બની રહે છે
*જ્યારે બધું છિન્ન્ન ભિન્ન્ન થઈ રહ્યું હોય ત્યારે સારો મિત્ર ગુંદર બની જાય છે
*જ્યારે વર્ષા બંધ જ ન થાય ત્યારે સારો મિત્ર સૂર્ય બની રહે છે
*જ્યારે તમારો ભેરો પોલીસ સાથે થઈ ત્યારે સારો મિત્ર તમારો મમ્મી કે વાલીની ફરજ બજાવે છે
*જ્યારે તમે તમારા ધેરથી બહાર નીકળવવા સમર્થ ન હોય ત્યારે તમારો મિત્ર 'ફોન કોલ' બની રહે છે
*જ્યારે તમે સાવ એકલું અનુભવતા હોય ત્યારે સારો મિત્ર તમારો સહારો બની રહે છે
*તમને ઉડવાની ઈરછા થાય ત્યારે સારો મિત્ર પાંખ બની રહે છે
*કારણ જાણ્યા વગર પણ સારો મિત્ર તમનેબરાબર સમજી શકે છે. કે તમે જે કંઈ કહેવા ઈરછ્તા હોય તે સમજી જાય છે
*સારો મિત્ર તમારા રહસ્ય ને સાંભળી અને જાળવી રાખે છે
*જ્યારે તમે માંદા પડ્યા હોય ત્યારે સારો મિત્ર તમારી દવા બની રહે છે
*સારો મિત્ર સાચો પ્રેમ છે જે ક્યારેય તમારું ખરાબ થવા દેતો નથી કે તમારા વિષે ખરાબ ઈરછ્તો નથી
સંબંધો અને નસીબ. . .
સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે? નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ? સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે. બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!
હમણાં એક શિક્ષકને મળવાનું થયું. તેમને વસ્તીગણતરીનું કામ સોંપાયું છે. તેમણે કહેલો એક અનુભવ સંબંધોની સંવેદનાથી ભરપૂર હતો. તેમણે કહ્યું, હું એક ઘરે ગયો. ચાલીસ વર્ષના એક માણસે દરવાજો ઉઘાડ્યો. થોડીવાર એ મારી સામે જોતો રહ્યો. મેં ઓળખાણ આપીને કહ્યું કે વસ્તીગણતરી માટે આવ્યો છું. તેણે મને આવકાર આપ્યો અને ઘરમાં બોલાવી સોફા ઉપર બેસાડ્યો. મેં પૂછ્યાં એ બધા જ સવાલોના તેણે સરસ રીતે જવાબ આપ્યા. મારું કામ પતાવીને ઊભો થવા જતો હતો ત્યાં એ માણસે મને કહ્યું કે, થોડીવાર બેસોને! એ મારા માટે જયુસનો ગ્લાસ ભરી લાવ્યો.
મને કહ્યું કે, કેટલા બધા દિવસો પછી મારા ઘરે કોઈ આવ્યું! કોઈના પગરવ વગર ઘણીવખત આપણે ઘરમાં જ ક્યાંક ભૂલા પડી ગયા હોય એવું લાગે! તેણે વાત આગળ વધારી. હું અહીં સાવ એકલો રહું છું. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરું છું. અમારી કંપનીનાં લોકો વચ્ચે ઘરે આવવા- જવાના સંબંધો બહુ ઓછા છે. જરાક હસીને તેણે કહ્યું કે, અમારી કંપનીમાં પાર્ટીઓ થાય છે પણ હોટલમાં. ત્યારે ઘરે કોણ આવે? ન્યુઝપેપર વેન્ડર અને મિલ્કમેન સવારે ફ્લેટની બહાર છાપાં અને દૂધ મૂકી જાય છે. ઓફિસે જઉં પછી એક માણસ ઘરે આવીને ઘર સાફ કરી જાય છે. ઘરમાં હોઉં છું ત્યારે સાવ એકલો જ હોઉં છું. મને યાદ નથી કે છેલ્લે ઘરે મારી હાજરીમાં કોણ આવ્યું હતું!
બાકી મારે પ્રેમાળ પત્ની છે, સરસ મજાના બે સંતાનો છે. મા-બાપ છે. ભાઈ-બહેન છે. પણ એ બધા બંગાળમાં રહે છે. કેટલીક મજબૂરીના કારણે હું મારા ફેમિલીને અહીં નથી લાવી શક્યો. ટિપોય પર પડેલી તસવીર તરફ આંગળી ચિંધીને કહ્યું કે, મારી પત્ની અને બંને બાળકોનો ફોટો છે. એ માણસના મોઢામાંથી નીકળતાં દરેક શબ્દોમાં અજાણ્યો ભાર હતો. તેણે કહ્યું કે ચાર-પાંચ મહિને એ લોકોને મળવા જઉં છું. એ લોકોની સાથે હોઉં ત્યારે પણ સતત થયા રાખે કે હમણાં પાછો એકલો થઈ જઈશ. મને વિચાર આવ્યો કે, બગીચામાં કોઈ ન આવે તો ફૂલોને વેદના થતી હશે? કોઈ વ્યક્તિ વગરનું ઘર માણસને ‘કામચલાઉ જેલ’ જેવું લાગતું હશે? ઘરનો ખાલીપો માણસના દિલમાં અનુભવાતો હોય છે.
બારણાં પાસે આવ્યો ત્યારે મેં એ માણસ સામે જોઈને કહ્યું, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કંઈક એવું થાય જેથી તમે તમારા પરિવાર સાથે રહી શકો. એ માણસની આંખો થોડીક ભીની થઈ હોય એવું લાગ્યું. સન્નાટો કેટલો અસહ્ય હોય છે તેનો અહેસાસ મને પહેલીવાર થયો. શિક્ષકે પછી વાત આગળ વધારી. એ દિવસે કામ પતાવીને હું ઘરે ગયો. ફળિયામાં રમતાં મારા બંને બાળકો મને જોઈને મારી પાસે આવીને મને વળગીને વાતો કરવા લાગ્યા. મારી પત્ની મારા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી.
પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યારે મને થયું કે, હું ખરેખર ખૂબ લકી છું. મારાં લોકો મારી સાથે અને મારી પાસે છે. મેં ભગવાનનો આભાર માન્યો અને પેલા અજાણ્યા માણસ માટે ભગવાનને પ્રાર્થના કરી. એ દિવસથી મારા ઘરમાં મને એક ગજબના સુખનો અનુભવ થાય છે. પેલાં માણસ પાસે આમ જોઈએ તો બધું જ હતું, છતાં એની પાસે કંઈ જ ન હતું.
કોઈ ન હોય ત્યારે સંબંધોની ઝંખના તીવ્ર બની જતી હોય છે. બધાં હોય ત્યારે માણસને એની કદર હોતી નથી. ઘરના લોકોથી જેને નફરત હોય એવા લોકોએ પોતાના ઘરથી દૂર અને એકલા રહેતાં લોકો સાથે થોડાક કલાક રહેવું જોઈએ. એક યુવાનની પ્રેમિકા પડોશમાં જ રહેતી હતી. બંને એક સાથે જ મોટા થયાં. રોજ તોફાન, મસ્તી અને ઝઘડા. યુવાને કહ્યું કે હું રોજ એની મસ્તી કરીને એને હેરાન કરતો. એ રડવા માંડે ત્યાં સુધી તેને પરેશાન કરતો.
મને બીજા શહેરમાં નોકરી મળી. એક મહિના પછી હું મારા ઘરે પાછો ગયો. મારી પ્રેમિકા મને મળી ત્યારે પહેલાં તો એ કંઈ જ બોલ્યા વગર મારી સામે હસી. મને યાદ આવ્યું કે હું આને રોજ કેવી રડાવતો હતો? મારી પ્રેમિકાની નજીક જઈ તેના બંને હાથ મારા હાથમાં લીધા. ખબર નહીં મને શું થયું પણ એના બંને હાથ વચ્ચે મોઢું રાખીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મારી પ્રેમિકાને કહ્યું, મેં તને ખૂબ રડાવી છે ને? કદાચ ઈશ્વર તેની જ મને સજા કરે છે! પ્રેમિકાએ કહ્યું કે, તારા વગરેય હું રોજ રડી છું! વિરહમાં જ પ્રેમનો સાચો અર્થ સમજાતો હોય છે.
તમારા ઘરે કોઈ તમારી રાહ જોતું હોય તો માનજો કે તમે લકી છો, મિત્રોને તમારા વગર પાર્ટી અધૂરી લાગતી હોય તો માનજો કે તમે લકી છો, કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો માનજો કે તમે લકી છો, રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમે લકી છો. ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે લકી છો, કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે લકી છો. જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો લકી છું!
Everyone knows how to count but very few know ‘what to count?’
હમણાં એક શિક્ષકને મળવાનું થયું. તેમને વસ્તીગણતરીનું કામ સોંપાયું છે. તેમણે કહેલો એક અનુભવ સંબંધોની સંવેદનાથી ભરપૂર હતો. તેમણે કહ્યું, હું એક ઘરે ગયો. ચાલીસ વર્ષના એક માણસે દરવાજો ઉઘાડ્યો. થોડીવાર એ મારી સામે જોતો રહ્યો. મેં ઓળખાણ આપીને કહ્યું કે વસ્તીગણતરી માટે આવ્યો છું. તેણે મને આવકાર આપ્યો અને ઘરમાં બોલાવી સોફા ઉપર બેસાડ્યો. મેં પૂછ્યાં એ બધા જ સવાલોના તેણે સરસ રીતે જવાબ આપ્યા. મારું કામ પતાવીને ઊભો થવા જતો હતો ત્યાં એ માણસે મને કહ્યું કે, થોડીવાર બેસોને! એ મારા માટે જયુસનો ગ્લાસ ભરી લાવ્યો.
મને કહ્યું કે, કેટલા બધા દિવસો પછી મારા ઘરે કોઈ આવ્યું! કોઈના પગરવ વગર ઘણીવખત આપણે ઘરમાં જ ક્યાંક ભૂલા પડી ગયા હોય એવું લાગે! તેણે વાત આગળ વધારી. હું અહીં સાવ એકલો રહું છું. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરું છું. અમારી કંપનીનાં લોકો વચ્ચે ઘરે આવવા- જવાના સંબંધો બહુ ઓછા છે. જરાક હસીને તેણે કહ્યું કે, અમારી કંપનીમાં પાર્ટીઓ થાય છે પણ હોટલમાં. ત્યારે ઘરે કોણ આવે? ન્યુઝપેપર વેન્ડર અને મિલ્કમેન સવારે ફ્લેટની બહાર છાપાં અને દૂધ મૂકી જાય છે. ઓફિસે જઉં પછી એક માણસ ઘરે આવીને ઘર સાફ કરી જાય છે. ઘરમાં હોઉં છું ત્યારે સાવ એકલો જ હોઉં છું. મને યાદ નથી કે છેલ્લે ઘરે મારી હાજરીમાં કોણ આવ્યું હતું!
બાકી મારે પ્રેમાળ પત્ની છે, સરસ મજાના બે સંતાનો છે. મા-બાપ છે. ભાઈ-બહેન છે. પણ એ બધા બંગાળમાં રહે છે. કેટલીક મજબૂરીના કારણે હું મારા ફેમિલીને અહીં નથી લાવી શક્યો. ટિપોય પર પડેલી તસવીર તરફ આંગળી ચિંધીને કહ્યું કે, મારી પત્ની અને બંને બાળકોનો ફોટો છે. એ માણસના મોઢામાંથી નીકળતાં દરેક શબ્દોમાં અજાણ્યો ભાર હતો. તેણે કહ્યું કે ચાર-પાંચ મહિને એ લોકોને મળવા જઉં છું. એ લોકોની સાથે હોઉં ત્યારે પણ સતત થયા રાખે કે હમણાં પાછો એકલો થઈ જઈશ. મને વિચાર આવ્યો કે, બગીચામાં કોઈ ન આવે તો ફૂલોને વેદના થતી હશે? કોઈ વ્યક્તિ વગરનું ઘર માણસને ‘કામચલાઉ જેલ’ જેવું લાગતું હશે? ઘરનો ખાલીપો માણસના દિલમાં અનુભવાતો હોય છે.
બારણાં પાસે આવ્યો ત્યારે મેં એ માણસ સામે જોઈને કહ્યું, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કંઈક એવું થાય જેથી તમે તમારા પરિવાર સાથે રહી શકો. એ માણસની આંખો થોડીક ભીની થઈ હોય એવું લાગ્યું. સન્નાટો કેટલો અસહ્ય હોય છે તેનો અહેસાસ મને પહેલીવાર થયો. શિક્ષકે પછી વાત આગળ વધારી. એ દિવસે કામ પતાવીને હું ઘરે ગયો. ફળિયામાં રમતાં મારા બંને બાળકો મને જોઈને મારી પાસે આવીને મને વળગીને વાતો કરવા લાગ્યા. મારી પત્ની મારા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી.
પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યારે મને થયું કે, હું ખરેખર ખૂબ લકી છું. મારાં લોકો મારી સાથે અને મારી પાસે છે. મેં ભગવાનનો આભાર માન્યો અને પેલા અજાણ્યા માણસ માટે ભગવાનને પ્રાર્થના કરી. એ દિવસથી મારા ઘરમાં મને એક ગજબના સુખનો અનુભવ થાય છે. પેલાં માણસ પાસે આમ જોઈએ તો બધું જ હતું, છતાં એની પાસે કંઈ જ ન હતું.
કોઈ ન હોય ત્યારે સંબંધોની ઝંખના તીવ્ર બની જતી હોય છે. બધાં હોય ત્યારે માણસને એની કદર હોતી નથી. ઘરના લોકોથી જેને નફરત હોય એવા લોકોએ પોતાના ઘરથી દૂર અને એકલા રહેતાં લોકો સાથે થોડાક કલાક રહેવું જોઈએ. એક યુવાનની પ્રેમિકા પડોશમાં જ રહેતી હતી. બંને એક સાથે જ મોટા થયાં. રોજ તોફાન, મસ્તી અને ઝઘડા. યુવાને કહ્યું કે હું રોજ એની મસ્તી કરીને એને હેરાન કરતો. એ રડવા માંડે ત્યાં સુધી તેને પરેશાન કરતો.
મને બીજા શહેરમાં નોકરી મળી. એક મહિના પછી હું મારા ઘરે પાછો ગયો. મારી પ્રેમિકા મને મળી ત્યારે પહેલાં તો એ કંઈ જ બોલ્યા વગર મારી સામે હસી. મને યાદ આવ્યું કે હું આને રોજ કેવી રડાવતો હતો? મારી પ્રેમિકાની નજીક જઈ તેના બંને હાથ મારા હાથમાં લીધા. ખબર નહીં મને શું થયું પણ એના બંને હાથ વચ્ચે મોઢું રાખીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મારી પ્રેમિકાને કહ્યું, મેં તને ખૂબ રડાવી છે ને? કદાચ ઈશ્વર તેની જ મને સજા કરે છે! પ્રેમિકાએ કહ્યું કે, તારા વગરેય હું રોજ રડી છું! વિરહમાં જ પ્રેમનો સાચો અર્થ સમજાતો હોય છે.
તમારા ઘરે કોઈ તમારી રાહ જોતું હોય તો માનજો કે તમે લકી છો, મિત્રોને તમારા વગર પાર્ટી અધૂરી લાગતી હોય તો માનજો કે તમે લકી છો, કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો માનજો કે તમે લકી છો, રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમે લકી છો. ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે લકી છો, કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે લકી છો. જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો લકી છું!
Everyone knows how to count but very few know ‘what to count?’
Sunday, June 12, 2011
હવે સંબંધો install થઇ શકે છે.....
હવે સંબંધો install થઇ શકે છે,
હાર્ટમાં લાગણીઓનું storage થઇ શકે છે.
એ copy-paste થાય, delete થઇ શકે, rename તો રોજે રોજ થઇ શકે છે.
સંબંધો હવે કોમ્પ્યુટરની ફાઇલની જેમ share થઇ શકે છે.
જરૂર પડે તો formate change થઇ શકે છે.
પ્રેમ હવે આંખોના મળવાથી જ નહીં email મળવાથી પણ થઇ જાય છે!
હાર્ટમાં નહીં હાર્ડ ડીસ્કમાં આખું જગત સમાઇ જાય છે.
સંબંધોમાં પણ હવે ‘mobile number portability’ જેવી સરળતા રહે છે.
terms-condition સારા હોય ત્યાં સૌ ઢળતા રહે છે.
‘live in relationship’ જેવા રૂપાળા label મળે છે.
પ્રેમ, લાગણી, ઉષ્મા બધું જ digital મળે છે.
પૈસાથી સંબંધો recharge થાય છે.
હવે તો બધું જ on-line થઇ શકે છે.
credit cardથી રોમાંસ થઇ શકે છે!
પણ,
આ બધું તું જવા દે.
જે થતું હોય તે થવા દે.
આપણો પ્રેમ disconnect ન થઇ જાય તે જોજે.
આપણી નાનકડી દુનિયા on-line install કરવી પડશે,
next, next, next કરતાં એને run કરવી પડશે.
મારા માટે તું antivirus સમ લાગે છે,
તારા વગર હવે મારા જીવને જોખમ લાગે છે.
facebook પર મળતી રહેજે,
email, call કરતી રહેજે.
તો ચાલ, હવે હું જાઉં છું,
આજ પુરતો log off થાઉં છું.
Friday, June 3, 2011
ઝડપથી બદલાઈ રહેલા સમયમાં સુખી જીવન જીવવાની કલા – મોહમ્મદ માંકડ
વર્ષોથી ચાલી આવતી આપણી આર્થિક નીતિઓમાં મોટા પાયે પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. આ બદલાતી જતી આર્થિક વ્યવસ્થાને સરકારે ‘આર્થિક સુધારાઓ’ એવું નામ આપ્યું છે. આપણે એવી સામાજિક પરિસ્થિતિમાં જીવીએ છીએ કે ‘આર્થિક સુધારાઓ’ હોય કે ‘આર્થિક બગાડાઓ’ હોય, આપણે એમને સ્વીકાર્યા વિના છૂટકો નથી. આ આર્થિક સુધારાઓના ફાયદા કેટલાક લોકોને મળવાના છે. સામાન્ય લોકોને પણ એ વધુ-ઓછા પ્રમાણમાં મળશે.
આર્થિક વ્યવસ્થામાં બદલાવની અસર શિક્ષણવ્યવસ્થા ઉપર પડે એ સ્વાભાવિક છે. હવે વિદ્યાર્થી જ્ઞાન મેળવવા, કશુંક શીખવા કે જાણવા-સમજવા માટે ભણતો નથી, પરંતુ નોકરી-આજીવિકા મેળવવા માટે જ એ ભણે છે. શિક્ષણ દ્વારા આજનો વિદ્યાર્થી એવું જ જ્ઞાન મેળવવા માગે છે કે જેના દ્વારા નોકરી કરીને વધુ ને વધુ પૈસા કમાઈ શકે અને આ નોકરીની ઈચ્છા પૂરી કરવા માટે આજના યુવાનોએ ઘણે દૂર-કુટુંબ છોડીને જવું પડે છે. પતિ-પત્ની બંને જ્યારે નોકરી કરતાં હોય ત્યારે સંઘર્ષના શરૂઆતના દિવસોમાં પોતાનાં મા-બાપને સાથે રાખવાનું શક્ય બનતું નથી. કુટુંબ નાનું હોય અને એમાં પણ જ્યારે આ રીતે વિભાજન આવી પડે છે ત્યારે સંતાનો મા-બાપનો સહારો બની શકતાં નથી. સંયુક્ત કુટુંબની આપણી વ્યવસ્થા હવે આવી રહેલા બદલાવ સામે ટક્કર લઈ શકે તેવું લાગતું નથી. વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. એ પણ આવી રહેલા પરિવર્તનની જ નિશાની છે. (અલબત્ત, વૃદ્ધોની દરકાર કરવામાં આવે અને એમના માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવે એ આવકારદાયક પણ છે.)
સંયુક્ત કુટુંબનું વિભાજન થતાં આખરે માણસ એકલોઅટૂલો થતો જવાનો છે. આજે જે યુવાન કે પ્રૌઢ છે એ આવતી કાલે વૃદ્ધાવસ્થાના આરે પહોંચી જવાના છે. શ્રીમંત અને સુખી ઘરના માણસોને સગવડ ઘણી મળી રહેશે, પરંતુ મનને હળવું કરી શકાય એવું કોઈ માણસ મળશે નહીં. કામ કરી આપે એવાં વૉશિંગ મશીન જેવાં અદ્યતન મશીનો મળી રહેશે, પરંતુ માણસ મળશે નહીં. સામાન્ય કે મધ્યમવર્ગના માણસે તો એવી અપેક્ષા પણ રાખવાનો કોઈ અર્થ રહેશે નહીં. અને અમેરિકા જેવા દેશોમાં જે ‘સોશિયલ સિક્યોરીટી’ની વ્યવસ્થા છે એવી વ્યવસ્થા વૃદ્ધો કે જરૂરિયાતમંદ માટે આપણા જેવા ગરીબ દેશોમાં થઈ શકે એવું નજીકના ભવિષ્યમાં દેખાતું નથી.
જિંદગી એવી છે કે વર્ષો વીતવા સાથે મિત્રો અને સગાંવહાલાંઓનો સાથ છૂટતો જાય છે. દુનિયામાંથી ઘણી પરિચિત વ્યક્તિઓ વિદાય લેતી જાય છે. માણસ એકલો પડતો જાય છે. જિંદગી વધુ ને વધુ સાંકડી થતી જાય છે. અને આ પરિસ્થિતિને ખાળી શકાય, રોકી શકાય એવી શક્યતા દેખાતી નથી. એટલે ગમે કે ન ગમે, માણસે જ પરિસ્થિતિને અનુકૂળ થવાનું શીખવું પડે એમ છે. હવેનો માણસ જીવનની શરૂઆતમાં જ જો વિશાળ અને પહોળો પાયો નહીં બનાવી શકે તો એના ઉપર ચણાયેલી ઈમારત ખખડી જશે અને એને સાથ નહીં આપે. માણસ પોતાની જીવવાની રીતભાતમાં જેટલો ફેરફાર કરી શકશે એટલો જ એ વધુ સુખી થઈ શકશે. જિંદગીની શરૂઆતમાં તો યુવાની હોય, દોડધામ હોય, કોલાહલ હોય, ધન અને કીર્તિ કમાઈ લેવામાં મન રોકાયેલું હોય, પણ ઉત્તરાવસ્થામાં પિરામિડ ઊલટો થઈ જાય છે. અને ઊલટો પિરામીડ સમતુલા જાળવી નથી શકતો ત્યારે માણસ દુઃખીદુઃખી થઈ જાય છે. વૃદ્ધાવસ્થા અને એકલતાના દુઃખમાં રાહત મેળવવાનો એક જ રસ્તો છે. ઈશ્વરે માણસને જે પાંચ ઈન્દ્રિયો આપી છે એ પાંચેય ઈન્દ્રિયોનો વધુમાં વધુ વિકાસ કરવો, સમતોલ વિકાસ કરવો. તમે યુવાન હો, પ્રૌઢ વયના હો કે વૃદ્ધાવસ્થાના આરે પહોંચ્યા હો, તમારું જીવન આ ખાસ વાત પર ધ્યાન આપીને ગોઠવજો, જેથી તમારી જિંદગી ક્યારેય તમારા માટે બોજારૂપ ન બની જાય.
કેટલાક લોકોને એમની યુવાનીમાં ખાવાપીવાનો, ફિલ્મ જોવાનો કે માત્ર રેડિયો-ટીવીનો જ શોખ હોય છે. બીજી કોઈ બાબતોમાંથી સુખ મેળવવાના એમના પ્રયત્નો જ હોતા નથી. મારા એક મિત્ર એક સંબંધીની ખબર કાઢવા ગયા હતા. મેં પૂછ્યું :
‘કેમ છે તબિયત ?’
‘ઠીક છે.’ એમણે કહ્યું, ‘આમ તો તબિયત સારી છે. પણ હવે વૃદ્ધાવસ્થા છે અને આટલી જિંદગી સુધી એમણે માત્ર એક જ વાતમાં રસ લીધો છે – ખાવાપીવામાં. એમની સ્વાદેન્દ્રિય સિવાય બીજી કોઈ ઈન્દ્રિયોનો વિકાસ થયો નથી. પૈસા કમાવા અને સારુંસારું ખાવું – બસ, એ રીતે જ એમની જિંદગી વીતી છે. ખાવાનો શોખ હજી એમને એટલો જ છે, પણ હવે જીભ અને પેટ એકબીજાની વિરુદ્ધ થઈ ગયાં છે. તળેલો ભારે ખોરાક ખાય એટલે પેટમાં ટકતો નથી.’ વૃદ્ધાવસ્થા કષ્ટદાયક તો છે જ, કારણ કે એમાં પરાવલંબન છે. આમ છતાં જો તમે તમારી પાંચે ઈન્દ્રિયોનો પૂરતો વિકાસ કર્યો હશે તો જિંદગીનો આનંદ મેળવવાની તમારી ક્ષમતા વધશે. બહારની સૃષ્ટિમાં રૂપ, રંગ, ધ્વનિ, સુગંધ, મીઠાશનો અખૂટ ખજાનો પડ્યો છે, પરંતુ એ માણવા માટે આપણે આપણા મનને સજ્જ કરવું પડે છે.
તમે ક્યારેય તારાથી મઢેલા આકાશ સામે નજર કરી છે ?
તમે સૂર્યોદય અને સૂર્યાસ્તના રંગોને ક્યારેય માણ્યા છે ?
ફૂલો, વૃક્ષો, વનસ્પતિ સાથે દોસ્તી બાંધી છે ?
ઝરણાના કાંઠે બેસી એકલાએકલા એનો અવાજ સાંભળ્યો છે ?
પક્ષીઓના સંગીત પર ક્યારેય ધ્યાન આપ્યું છે ?
જંગલમાં, વગડામાં, નદીકાંઠે, પહાડોમાં ક્યારેય ફર્યા છો ખરા ?
ચોમાસાની ધરતીની ભીની સુગંધ ક્યારેય અનુભવી છે ?
તમારાં નાક, કાન, આંખનો ઉપયોગ યોગ્ય રીતે કરશો તો જરૂર તમને આ બધી વાતોમાં રસ પડશે અને જો તમને આવી વાતોમાં રસ નહીં પડે તો તમે જિંદગીની કોટડીમાં કેદ થઈ જવાના. એ કોટડી ગમે તેટલી મોટી હોય, ધનદોલતથી તમે એને ગમે તેટલી શણગારશો તોય એની દીવાલોની જતે દહાડે તમને ભીંસ લાગવાની છે. એ દીવાલોમાંથી બહાર નીકળી જવું જોઈએ. કોઈ કહેશે, અમે ક્યાં લેખક-કવિ, ચિત્રકાર કે સંગીતકાર છીએ કે અમને ઝરણાના સંગીતમાં, સૂર્યાસ્તના રંગોમાં કે તારા-ભરેલી રાતોમાં રસ પડે ? ભલે રસ ન પડે, રસ લેવાની જરૂર છે. માણસને બધી બાબતોમાં સહેલાઈથી રસ પડતો નથી, પણ ઓછા દુઃખી થવા માટે માણસે આનંદ મેળવવાની ક્ષમતાનો પાયો મોટો કરવો જરૂરી છે. રસ લેવાની ક્ષમતા વારસામાં મળતી નથી, એ કેળવવી પડે છે. એ વાત સાચી છે કે જીવનને ટકાવી રાખવા માટે તો રોટીની-પૈસાની જરૂર હોય છે, પરંતુ જીવનને ધબકતું રાખવા માટે ચિત્રકલા, સંગીત, સાહિત્યરસ કેળવવાની જરૂર છે. દરેક માણસ, લેખક, કલાકાર કે સંગીતકાર થઈ શકતો નથી, પરંતુ સારો વાચક, કલામર્મજ્ઞ અને સંગીતને સમજી-માણી શકે એવો તો જરૂર બની શકે છે. માણસ આ રીતે આનંદ મેળવવાની ક્ષમતા વધારે છે. એના જીવનમાં ખાલીપો ઓછો આવે છે. એની જિંદગી કાયમ ભરીભરી રહે છે.
આપણને આપણી ઈન્દ્રિયના વિકાસની ક્ષમતાનો બહુ ઓછો ખ્યાલ હોય છે. આપણને પ્રશ્ન થાય છે કે ઈન્દ્રિયનો વિકાસ કેટલો કરી શકાય ? માણસ જ્યારે એકાદ ઈન્દ્રિય ગુમાવી દે છે ત્યારે એને બીજી ઈન્દ્રિયની ક્ષમતાની અને શક્તિની ખબર પડે છે. આંધળો માણસ માત્ર પગરવ સાંભળીને આવનારની ઓળખાણ આપી શકે છે. આંખનું કામ એના કાન કરે છે. દેખતા માણસને ભાગ્યે જ ચાલનારની ચાલની કે એના અવાજની ખબર હોય છે. એ રીતે અંધ માણસમાં સ્પર્શની શક્તિ પણ ખૂબ જ ખીલેલી હોય છે. બધા માટે આટલો વિકાસ શક્ય નથી હોતો, પણ બધી ઈન્દ્રિયોનો શક્ય એટલો વધુ વિકાસ સાધવાની કોશિશ દરેકે કરવી જોઈએ. વિભાજિત કુટુંબની એકલતામાં સફળતાપૂર્વક જીવવાની બધી તૈયારી માણસે કરી રાખવી જોઈએ. હવેનાં વર્ષોમાં એ રોટી, કપડાં, મકાન જેવી જ અગત્યની બની રહેવાની છે.
અમુક ઉંમર પછી સમય કોની પાસેથી શું ઝૂંટવી લેશે એ કોઈ કહી શકતું નથી. મોટી ઉંમરે કવિ મિલ્ટનની આંખો ચાલી ગઈ હતી અને સંગીતકાર બિથોવનની શ્રવણેન્દ્રિય ચાલી ગઈ હતી. મિલ્ટને આંખો ગુમાવી દીધા પછી મહાકાવ્યનું સર્જન કર્યું હતું અને બહેરા થઈ ગયેલા સંગીતકાર બિથોવને એની સૌથી ઉત્તમ સિમ્ફોનીનું સર્જન કર્યું હતું. ઉંમર વીતવા સાથે સાંભળવાની શક્તિ ઓછી થતી જાય કે આંખોમાં ઝાંખપ આવે, કાનમાં બહેરાશ આવી જાય એ એક સ્વાભાવિક બાબત છે, પણ મનમાં જો બધી ઈન્દ્રિયોએ મોકલેલી સ્મૃતિઓ પડેલી હશે તો માણસ મિલ્ટન કે બિથોવનની માફક છેલ્લે સુધી કાર્યક્ષમ રહી શકશે. જિંદગીમાં અનેક નાનીમોટી બાબતોમાં જો તમે રસ લીધો હશે તો તમારે કોઈ એકાદ ક્ષેત્રમાં પીછેહઠ કરવાનું બનશે કે કોઈ એકાદ ક્ષેત્રમાં તમને નિષ્ફળતા મળશે તોપણ તમે જિંદગી હારી નહીં જાઓ, બલકે બદલાતા જતા સમયના પ્રવાહમાં ચોક્કસ ગોઠવાઈ જશો. તમને ક્યારેય એકલું નહીં લાગે કે જિંદગી તમારા માટે ક્યારેય બોજારૂપ નહીં બની જાય.
બર્ટ્રાન્ડ રસેલનું આ વાક્ય યાદ રાખવા જેવું છે : ‘The happy man is the man, who has wide interests.’
Subscribe to:
Posts (Atom)