હમણાં ઈન્ટરનેટ પર એક મઝાની વાત વાંચી ભગવાન સાથે ઇન્ટરવ્યૂ. એક અનામી લેખકને સ્વપ્ન આવ્યું તેની આ વાત છે.
‘શું તારે મારો ઇન્ટરવ્યૂ લેવો છે ?’ ભગવાને પૂછ્યું .
‘તમને સમય હોય તો ઇન્ટરવ્યૂ લેવો છે.’
ભગવાને સ્મિત કરીને કહ્યું : ‘મારો સમય તો અનંત છે. તારે
મને શું પૂછવું છે ?’
‘માનવજાત વિશે તમને સૌથી વધુ આશ્ચર્ય કઈ બાબતનું થાય છે ?’
ભગવાને કહ્યું :
‘જયારે તે બાળક હોય છે ત્યારે તેને જલ્દી મોટા થવું હોય છે
અને મોટા થયા પછી ફરી વાર બાળક થવાનું મન થાય છે .’
‘પૈસા કમાવવામાં તંદુરસ્તી ગુમાવે છે અને તંદુરસ્તી પાછી
મેળવવા પૈસા ગુમાવે છે.’
‘ભવિષ્યની ફિકરમાં વર્તમાનને ભૂલી જાય છે એટલે નથી રહેતો
વર્તમાનમાં કે ભવિષ્યમાં.’
‘એવી રીતે જીવે છે કે જાણે મોત કદી આવવાનું નથી અને
જયારે મોત આવે ત્યારે જિંદગીનો આંનદ ભૂલી જાય છે.’
ભગવાને મારા હાથમાં હાથ લીધો . થોડી ક્ષણો મૌન રહ્યા પછી
મેં પૂછ્યું : ‘તમારા બાળકો જીવનમાંથી કયા બોધપાઠ લે……પિતા
તરીકે તમને શું લાગે છે ?’
ભગવાને હસીને કહ્યું :
‘બીજા તમને પ્રેમ કરે એવી અપેક્ષા ન રાખવી .તમારા પ્રત્યે
સહેજે પ્રેમ થાય એવું થવું જોઈએ એ ખ્યાલમાં રાખવું.’
‘તમારી પાસે શું છે એના કરતાં તમારા જીવનમાં કોણ છે એ
વધારે મહત્વનું છે એ નહિ ભૂલવું .’
‘તમારી જાતને કદી બીજા સાથે સરખાવવી નહિ.’
‘પોતાની પાસે વધુ હોય એ ધનવાન નથી પણ જેની જરૂરિયાત
ઓછામાં ઓછી હોય એ ખરો ધનિક છે એ હમેશાં યાદ રાખવું.’
‘પ્રિય વ્યક્તિના દિલને દુભાવવામાં વાર નથી લગતી પણ
એ ઘા રૂઝાતા વરસો લાગી જાય છે.’
‘હમેશાં માફ કરતાં રહેવાથી ક્ષમાનો ગુણ કેળવાય છે.’
‘આપણને આમ તો ઘણાં લોકો ચાહતા હોય છે પણ
કમનસીબે એ વ્યક્ત કરતાં એમને આવડતું નથી હોતું.’
‘પૈસાથી બધું ખરીદી શકાય છે, પણ સુખ નહિ.’
‘એક જ વસ્તુને બે લોકો જુદી જુદી રીતે જુએ એવું સહેજે બને.’
‘બીજા લોકો આપણને માફ કરે એ પુરતું નથી. આપણે પણ
આપણી જાતને માફ કરીએ એ વધુ જરૂરી છે.’
‘હું સદાય તમારી સાથે જ છું એ કદી ન ભૂલવું.’
‘તમને સમય હોય તો ઇન્ટરવ્યૂ લેવો છે.’
ભગવાને સ્મિત કરીને કહ્યું : ‘મારો સમય તો અનંત છે. તારે
મને શું પૂછવું છે ?’
‘માનવજાત વિશે તમને સૌથી વધુ આશ્ચર્ય કઈ બાબતનું થાય છે ?’
ભગવાને કહ્યું :
‘જયારે તે બાળક હોય છે ત્યારે તેને જલ્દી મોટા થવું હોય છે
અને મોટા થયા પછી ફરી વાર બાળક થવાનું મન થાય છે .’
‘પૈસા કમાવવામાં તંદુરસ્તી ગુમાવે છે અને તંદુરસ્તી પાછી
મેળવવા પૈસા ગુમાવે છે.’
‘ભવિષ્યની ફિકરમાં વર્તમાનને ભૂલી જાય છે એટલે નથી રહેતો
વર્તમાનમાં કે ભવિષ્યમાં.’
‘એવી રીતે જીવે છે કે જાણે મોત કદી આવવાનું નથી અને
જયારે મોત આવે ત્યારે જિંદગીનો આંનદ ભૂલી જાય છે.’
ભગવાને મારા હાથમાં હાથ લીધો . થોડી ક્ષણો મૌન રહ્યા પછી
મેં પૂછ્યું : ‘તમારા બાળકો જીવનમાંથી કયા બોધપાઠ લે……પિતા
તરીકે તમને શું લાગે છે ?’
ભગવાને હસીને કહ્યું :
‘બીજા તમને પ્રેમ કરે એવી અપેક્ષા ન રાખવી .તમારા પ્રત્યે
સહેજે પ્રેમ થાય એવું થવું જોઈએ એ ખ્યાલમાં રાખવું.’
‘તમારી પાસે શું છે એના કરતાં તમારા જીવનમાં કોણ છે એ
વધારે મહત્વનું છે એ નહિ ભૂલવું .’
‘તમારી જાતને કદી બીજા સાથે સરખાવવી નહિ.’
‘પોતાની પાસે વધુ હોય એ ધનવાન નથી પણ જેની જરૂરિયાત
ઓછામાં ઓછી હોય એ ખરો ધનિક છે એ હમેશાં યાદ રાખવું.’
‘પ્રિય વ્યક્તિના દિલને દુભાવવામાં વાર નથી લગતી પણ
એ ઘા રૂઝાતા વરસો લાગી જાય છે.’
‘હમેશાં માફ કરતાં રહેવાથી ક્ષમાનો ગુણ કેળવાય છે.’
‘આપણને આમ તો ઘણાં લોકો ચાહતા હોય છે પણ
કમનસીબે એ વ્યક્ત કરતાં એમને આવડતું નથી હોતું.’
‘પૈસાથી બધું ખરીદી શકાય છે, પણ સુખ નહિ.’
‘એક જ વસ્તુને બે લોકો જુદી જુદી રીતે જુએ એવું સહેજે બને.’
‘બીજા લોકો આપણને માફ કરે એ પુરતું નથી. આપણે પણ
આપણી જાતને માફ કરીએ એ વધુ જરૂરી છે.’
‘હું સદાય તમારી સાથે જ છું એ કદી ન ભૂલવું.’
( “જન્મભૂમી-પ્રવાસી “માંથી સાભાર – શાંતિલાલ ડગલી )
No comments:
Post a Comment