Sunday, April 10, 2011

ચિંતનના મોતી

  • આપણે ગઈકાલનું દેવું ભરવા ઘણી વખત આપણે આપણી આવતી કાલ પાસેથી ઉછીનું લઈએ છીએ.-ખલિલ જિબ્રાન
  • જેણે પોતાના મનને વશમાં કરી લીધું, દુનિયાની કોઈ શક્તિ એની જીતને હારમાં નથી બદલી શકતી.-ભગવાન બુધ્ધ
  • પૂર્ણ માનવી એ છે કે જે પૂર્ણ થયા પછી અને મોટો થયા પછી પણ નમ્ર રહે છે અને હરહંમેશ દરેકની સેવામાં રચ્યોપચ્યો રહે છે.-રોબર્ટ કટલર
  • એટલું યાદ રાખો કે આપણી ચિંતાઓ હંમેશા આપણી કમજોરીઓને કારણે જ હોય છે.-રુમાગો
  • જે લોકો નિ:સહાય લાચાર માનવી પર દયા નથી કરતા એવા લોકોએ શક્તિશાળીઓના અત્યાચાર સહન કરવાનો વારો આવે છે.-શેખસાદી
  • પોતાને મનગમતું કામ તો દરેક માનવી કરે પરંતુ ગમતું ન હોય તેને પણ મનગમતું બનાવવું જોઈએ.-કામળિયા કાળાભાઈ ઝલક
  • જીવનમાં શું નથી મળ્યું એનો હૈયા-બળાપો કર્યા કરતાં જે મળ્યું છે તે બદલ ઈશ્વરનો આભાર માની, મળેલાની મોજ માણો.-અજ્ઞાત
  • વિરાટ આકાશમાં સહેજ આંખ ઊંચી કરીને દર્શન કરનાર વ્યક્તિ જો તેનું દર્શન સાક્ષાત્કાર સાથેનું હોય તો, ક્યારેક અભિમાની બની શકતો નથી.-કાલેલકર
  • ધર્મ એટલે વ્યક્તિનો આંતરિક વિકાસ, અમુક સારી ગણાતી દિશામાં તેની જાગૃતિની વૃધ્ધિ.-જવાહરલાલ નહેરૂ
  • કેટલાક લોકોનો અભિગમ એવો હોય છે કે તેને પીંછાની દયા આવે છે પણ પંખી મરે છે તે દેખાતું નથી.-બર્ક
  • જીવનતો સૌ પોતપોતાની આશાએ જ જીવે છે પણ બીજાની આશાઓ સાકાર કરવા જ નિ:સ્વાર્થ થઈને જીવે છે તેને ઈતિહાસ આદર આપે છે અને જગત વંદન કરે છે.-ખલિલ જિબ્રાન
  • જયારે પણ ક્રોધ ચડે ત્યારે એક મિનિટ માટે જો પુનર્વિચાર કરવામાં આવે તો જગતના અડધા સંઘર્ષો અટકી શકે છે.-સ્વેટ માર્ડન
  • બધી કળાઓમાં જીવન જીવવાની કળા શ્રેષ્ઠ છે સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર છે.-થોરો
  • આકાશમાં ગતિ કરી રહેલાં પક્ષીઓ તમે જુઓ ને જીવનને પણ તેમ જ પ્રશાંત ગતિએ જીવતાં શીખો તો જગત થોડું વધુ સુંદર અને વધુ રસીક લાગશે.-લાઓત્સે

No comments:

Post a Comment